બ્રેકિંગ ન્યુઝ
કોંગ્રેસે 2 ઉમેદવારના નામ જાહેર કર્યા, રાહુલ ગાંધી રાયબરેલીથી લડશે લોકસભા ચૂંટણી , કે.એલ.શર્મા અમેઠીથી ચૂંટણી લડશે, પ્રિયંકા ગાંધી નહીં લડે લોકસભા ચૂંટણી
રાજ્યમાં ગરમીનો પ્રકોપ યથાવત, મોટાભાગના શહેરમાં 40 ડિગ્રી ઉપર તાપમાન, આગામી 7 દિવસ તાપમાન સૂકું રહેશે
લોકસભા ચૂંટણી 2024: કોંગ્રેસ સરકાર પાકિસ્તાનને ડોઝીયર આપતી હતી, આજે પાકિસ્તાનના આતંકનું ટાયર પંચર થઇ ગયું - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: સરદાર પટેલના સપના પુરા કરવાનો પ્રયાસ કરીશ - PM મોદી
લોકસભા ચૂંટણી 2024: એક ચા વાળાએ દેશની અર્થ વ્યવસ્થાને 11માં નંબરથી 4 નંબર પર પહોંચાડી - PM મોદી
લોકસભા ચૂંટણી: વડાપ્રધાન મોદીના કોંગ્રેસ પર પ્રહાર, કહ્યુ એ શાસન કાળ હતો, આ સેવા કાળ
PM મોદીનો ગુજરાતમાં પ્રચારનો આજે બીજો દિવસ
ગુજરાતના સ્થાપના દિવસે રાજકોટને મળી સૌથી મોટી ભેટ, નવા રેસકોર્સ ખાતે અટલ સરોવર આજથી લોકો માટે ખુલ્લું મુકવામાં આવ્યું, 36 એકરની અંદર 126 કરોડના ખર્ચે બનાવવામાં આવ્યો એમ્યુઝમેન્ટ પાર્ક, અટલ સરોવરમાં ફાઉન્ટેન લેઝર શો બન્યું આકર્ષણનું કેન્દ્ર
લોકસભા ચૂંટણી: પહેલા અને બીજા તબક્કાના મતદાનથી કોંગ્રેસના હોશ ઉડી ગયા - PM મોદી
લોકસભા ચૂંટણી: આજે કોંગ્રેસમાં આગ લાગી ગઈ છે, વિભાજનની વાતો કરે છે - PM મોદી
Bijal Vyas
Last Updated: 10:39 PM, 26 April 2023
Guru Uday Effetcs:જ્યોતિષમાં ગુરુને મહત્વનો ગ્રહ માનવામાં આવે છે. જો કુંડળીમાં ગુરુની સ્થિતિ શુભ હોય તો વ્યક્તિને ઘણું માન, જ્ઞાન અને સફળતા મળે છે. ગુરુ મીન રાશિમાં અસ્ત થઈ રહ્યો છે, પરંતુ આવતીકાલે એટલે કે 27મી એપ્રિલે તે મેષ રાશિમાં ઉદય થશે. દેવ ગુરુ બૃહસ્પતિ 27 એપ્રિલ, 2023 ના રોજ સવારે 2:07 વાગ્યે મેષ રાશિમાં ઉદય થશે. ગુરુનો ઉદય તમામ રાશિઓ પર અસર કરશે, પરંતુ ગુરુનો ઉદય 5 રાશિઓ માટે ખૂબ જ શુભ સાબિત થશે. જાણો કઈ રાશિના જાતકોને અનુકૂળ પરિણામ મળશે.
1. મેષ રાશિઃ મેષ રાશિના પહેલા ભાવમાં ગુરુનો ઉદય થશે. આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ રહેવુ પડશે. તમને તમારા સાથીદારો અને વરિષ્ઠ અધિકારીઓનો સંપૂર્ણ સહયોગ મળશે. આ સમયગાળા દરમિયાન તમને પ્રમોશન મળી શકે છે. આ સાથે તમે નવા પ્રોજેક્ટ પર પણ કામ કરશો. શક્ય છે કે કામના સંબંધમાં તમારે લાંબા અંતરની યાત્રા કરવી પડી શકે છે. નોકરીમાં બદલાવના પણ શુભ સંકેતો છે.
મેષ રાશિના જાતકોને ગુરુના ઉદયને કારણે કાર્યસ્થળ પર માન અને પ્રતિષ્ઠા મળશે. આ લોકો તેમના નેટવર્ક વર્તુળમાં મજબૂત જોડાણો બનાવવામાં સક્ષમ હશે. જો તમારી પાસે તમારો પોતાનો વ્યવસાય છે, તો તમે અન્ય કરતા ઓછા સમયમાં વધુ પૈસા કમાઈ શકશો.
2. મિથુન રાશિઃ તમારા અગિયારમા ભાવમાં દેવ ગુરુનો ઉદય થશે. આ સમય દરમિયાન તમને નોકરીની નવી તકો મળશે. આ સાથે તમારા પ્રમોશનના ચાન્સ પણ બનશે. જે લોકો લાંબા સમયથી વિદેશ પ્રવાસ કે સ્થાયી થવાનું વિચારી રહ્યા હતા તેમને તક મળી શકે છે. આ સમયગાળા દરમિયાન, તમારી કારકિર્દી સારી ગતિએ આગળ વધશે અને તમે તમારા લક્ષ્યોને સરળતાથી પ્રાપ્ત કરી શકશો.
3. કર્ક રાશિઃ તમારા દસમા ભાવમાં દેવ ગુરુનો ઉદય થશે. ખાનગી અને સરકારી નોકરી કરતા લોકો માટે આ સમય ઉત્તમ રહેશે. તમે તમારા મૂલ્યો અને સિદ્ધાંતો પ્રત્યે ખૂબ જ મક્કમ રહેશો. ગુરુના ઉદયથી તમને ભાગ્યનો પૂરો સાથ મળશે અને પ્રમોશનની તકો સર્જાશે. આ સાથે, તમને નોકરીમાં વધુ સારી તકો મળશે અને લોકો તમારી મહેનત માટે તમારી પ્રશંસા કરશે, જેનાથી તમારું સન્માન પણ વધશે.
4. સિંહ રાશિઃ સિંહ રાશિના જાતકોને કાર્યક્ષેત્રમાં ગુરુના ઉદયનો લાભ મળશે. કરિયરની દ્રષ્ટિએ આ સમય તમારા માટે સકારાત્મક રહેવાનો છે. તમારા કાર્યસ્થળ પર પ્રમોશનની તકો રહેશે. તમારે કામના સંબંધમાં મુસાફરી કરવી પડી શકે છે, જે તમારા માટે ફળદાયી રહેશે. આ દરમિયાન, તમને તમારા વરિષ્ઠો તરફથી પ્રશંસા મળશે. આ ઉપરાંત, આ સમય દરમિયાન તમે આધ્યાત્મિક પ્રવૃત્તિઓ તરફ વધુ ઢળશો. નોકરીમાં બદલાવનો વિચાર કરી શકો છો.
5. ધન રાશિઃ તમારા પાંચમા ભાવમાં દેવ ગુરુનો ઉદય થશે. આ સમયમાં તમે તમારી જાતને સુધારવા પર સંપૂર્ણ ધ્યાન આપશો. નોકરીમાં પ્રમોશનની પ્રબળ તકો રહેશે અને કામમાં તમને સંપૂર્ણ પ્રશંસા મળશે. જેના કારણે તમને સંતોષ મળશે. આ સમય દરમિયાન તમને નોકરીની નવી તકો પણ મળી શકે છે. વેપાર કરતા લોકોને સારો નફો મેળવવાની તક મળી શકે છે. તમારા વ્યવસાયને આગળ વધારવા માટે સારો સમય છે. તમને બિઝનેસમાં ઘણી નવી તકો પણ મળી શકે છે.
DISCLAIMER: ધર્મને લગતો આ આર્ટિકલ માત્ર અલગ-અલગ મળતી માહિતીને આધારિત છે. નહીં કે તમે તેને સત્ય જ માની લો. કારણ કે ધર્મ દરેકની આસ્થાનો વિષય છે. આથી અહીં આપવામાં આવેલી જાણકારીને અનુસરતા પહેલા ધર્મ કે શાસ્ત્ર આધારિત જ્ઞાન ધરાવનારા વિદ્ધાનોની સલાહ લેવી અતિ આવશ્યક રહેશે. નહીં તો કોઇ મુશ્કેલી સર્જાય તો જવાબદારી અમારી નહીં રહે. કારણ કે આ આર્ટિકલ ફક્ત ન્યૂઝના હેતુસર પબ્લિશ કરવામાં આવ્યો છે.
સંકળાયેલા મુદ્દાઓ
સબસ્ક્રાઇબ કરો
દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.
સૌથી વધુ વંચાયેલું
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા
પ્રચાર
ટોપ સ્ટોરીઝ
તુલસીના પાન ઔષધીય ગુણોનો ભંડાર / રોજ સવારે ઉઠી બસ આ પત્તા ચાવી જાઓ, બીપી-શુગરની શરીરમાં ઘૂસવાની તમામ કોશિશ થશે નાકામ
Home Vastu Tips / ઘરમાં ધન નથી ટકતું! તો આ 8 કારણ છે જવાબદાર, વાસણ પહેલું, વૃદ્ધ છેલ્લા