મગરને જોતા જ તમે ડરી જતા હશોને ? અને ડરો પણ કેમ નહીં. કારણ કે મગર સામાન્યરીતે માનવભક્ષી અને માંસાહારી હોય છે. મગરને પાણીનો રાજા પણ કહેવાય છે. જો તમને ખબર પડે કે આ નદી કે તળાવમાં મગર વસવાટ કરે છે તો તમે તેના કિનારા પર પણ નહીં જાઓ. પરંતુ આજે અમે આપને મગરોની એવી વસ્તીમાં લઈ જશું. જ્યાં એક-બે નહીં પણ હજારો મગરો રહે છે.
ગુજરાતના એવા ગામ જ્યાં મગરનું છે સામ્રાજ્ય
માનવી પર ક્યારેય નથી કર્યો હુમલો
છતાં ક્યારેય મગરે માનવ પર હુમલો નથી કર્યો નવાઈ લાગે છે. પણ વાત સનાતન સાચી છે. અમે ચરોતરના એવા વિસ્તારોમાં પહોંચ્યા જ્યાં મગરોનો સામ્રાજ્ય છે. અમે સૌથી પહેલા વસો તાલુકાના દેવા ગામે પહોંચ્યા.
એક જ તળાવમાં 20થી વધારે મગર
સ્મશાન પાસે આવેલા તળાવમાં એટલા મગરો છે કે તળાવમાં ક્યારે પગ ન રાખી શકાય. તળા પર બનેલા બેટ 20થી વધારે મહાકાય મગરો જોવા મળ્યા તો કેટલાક પશુપાલકો તળાવમાં ભેંસોને સ્નાન કરાવતા જોવા મળ્યા. એક મહિલા બેખૌફ થઈને તળાવના કિનારે કપડા ધોતી પણ જોવા મળી.
ડિસ્કવરીને પાર કરી રહ્યા હોય તેવો થયો અહેસાસ
તો આ તરફ દેવા ગામમાં અમને એક એકથી ચડિયાતા દ્રશ્યો જોવા મળી રહ્યા હતા. મગરોથી ખદબદતા દેવા ગામના તળાવની સહેર કરવાનું અમે નક્કી કર્યું. પ્રવાસ જોખમી હતો. પણ એડવેન્ચરની મજા તો લેવી જ હતી.
મગર ક્યારેય લોકોને નથી કરતા પરેશાન
અમે તળાવમાં ફરી રહ્યા હતા એવો અહેસાસ થઈ રહ્યો હતો કે કોઈ ડિસ્કવરીને પાર કરી રહ્યા છે. એક બાદ એક અનેક મગરો અમારા કેમેરામાં કેદ થઈ રહ્યા હતા. તો દેવા ગામમાં ત્રણ તળાવ છે. ત્રણેય તળાવ મગરોથી ભરેલા છે. અમે અંધારિયા તળાવ બાદ મલાવ તળાવમાં પહોંચ્યા.
સમી સાંજનો સમય થઈ ગયો હતો સૂરજ દેવ આથમી રહ્યા હતા. પરંતુ અમારી યાત્રા પૂર્ણ ચાલુ જ હતી. તળાવ પછી દેવા ગામની એક કાંસમાં પહોંચ્યા. અહીં પણ અનેક મગરો છે.