રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને ધારાસભ્યો તૂટવાનો ડર છે. ત્યારે હવે કોંગ્રેસે ધારાસભ્યને બહાર લઇ જવા પ્લાન તૈયાર કર્યો છે. કોંગ્રેસ 15 ધારાસભ્યોને બહાર લઇ જશે. અને સત્ર દરમિયાન 15 ધારાસભ્યોને ગૃહમાં રાખવામાં આવશે. બાકીના ધારાસભ્યોન જયપુર લઇ જવાશે. રાજ્યસભાની બે સીટ બચાવવા માટે કોંગ્રેસે આ નિર્ણય કર્યો છે.
ધારાસભ્યને બહાર લઇ જવા કોંગ્રેસે પ્લાન તૈયાર કર્યો
15 ધારાસભ્ય સિવાયના ધારાસભ્યને બહાર લઇ જવાશે
સત્ર દરમિયાન 15 ધારાસભ્યને ગૃહમાં રાખવામાં આવશે
રાજ્યસભાની ચૂંટણીમાં કોંગ્રેસને પોતાના ધારાસભ્યો તૂટવાનો ડર સતાવી રહ્યો છે. ત્યારે કોંગ્રેસના ધારાસભ્યોને રાજ્યની બહાર લઇ જવાનો અંતિમ નિર્ણય અહેમદ પટેલ કરશે. ધારાસભ્યોને કયા રાજ્યમાં લઇ જવા તેનો નિર્ણય અહેમદ પટેલ કરશે. હાલ રાજસ્થાન, છત્તીસગઢ અને મહારાષ્ટ્રની ચર્ચા ચાલી રહી છે. તો ક્યારે અને કેટલા ધારાસભ્યોને બહાર લઇ જવા તે અંગે પણ ચર્ચા કરવામાં આવશે.
વિધાનસભાનું સત્ર ચાલતું હોવાથી તમામને ખસેડવા કે નહીં તે અંગે મૂંઝવણ છે. કેટલાક અગ્રણીય અને હોદ્દો ધરાવતા MLA ગુજરાતમાં રહી ગૃહમાં હાજરી આપી શકે છે. તો આ અંગે સોમવારે અહમદ પટેલ ગુજરાતના નેતાઓ સમક્ષ નિર્ણય જાહેર કરશે. હાલ 15 ધારાસભ્યોને ગૃહમાં રાખવામાં આવશે તેવું ચર્ચાઈ રહ્યું છે.
પાટીદારોને સાચવવા ધાનાણી મેદાને
રાજ્યસભાની ચૂંટણી પહેલા કોંગ્રેસના ધારાસભ્યો પક્ષપલટો કરીને વોટ આવે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ મામલે વિપક્ષના નેતા પરેશ ધાનાણી એલર્ટ થયા છે. પાટીદાર ધારાસભ્યોને સાચવવાની જવાબદારી હાઈકમાન્ડ દ્વારા પરેશ ધાનાણીને આપવામાં આવી છે. આજે પરેશ ધાનાણીએ પાટીદાર ધારાસભ્યો સાથે બેઠક કરી છે.
પાટીદાર ધારાસભ્ય છે નારાજ
આ બેઠકમાં ગેરહાજર રહેલા ધારાસભ્યો સાથે ધાનાણીએ ટેલિફોનિક ચર્ચા કરી છે. આ બેઠક બાદ પરેશ ધાનાણીએ પાટીદાર ધારાસભ્યો કોંગ્રેસ સાથે જ હોવાનો દાવો કર્યો છે. મહત્વનું છે કે, ચૂંટણીમાં કોંગ્રેસમાંથી પાટીદાર ઉમેદવારને ટિકિટ આપવાની માગ ઉઠી હતી. જોકે કોંગ્રેસમાંથી એક પણ પાટીદારને ટિકિટ આપવામાં આવી ન હતી.
ભાજપે ખેલ્યુ પાટીદાર કાર્ડ
ભાજપ દ્વારા નરહરી અમીને ઉતારવામાં આવતા પાટીદાર ધારાસભ્યો તેમને ટેકો આપે તેવી ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓને લઈને કોંગ્રેસ હાઈકમાન્ડ એક્ટિવ થયું છે. હાઈકમાન્ડ દ્વારા ધારાસભ્યો ન તૂટે તેને લઈને એડીચોટીનો જોર લગાવવામાં આવી રહ્યો છે.