કોરોના વાયરસે દેશના જે રાજ્યોમાં સૌથી વધારે કહેર મચાવી રાખ્યો છે તેમાં એક ગુજરાત પણ છે. ગુજરાતમાં અત્યાર સુધીમાં 133 લોકોનાં મોત થયા છે. વિશ્લેષકો અને ડોકટર્સના અનુસાર રાજ્યમાં મોતના વધતા આંકડાઓના કારણે કોરોના વાયરસનું L Strain થઇ શકે છે. જ્યારે કેરલમાં મૃત્યુદર ઓછો હોવાના કારણે S Strain ઉપસ્થિતિ મહત્વનું કારણ હોય શકે છે.
શું છે L સ્ટ્રેન ?
ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી અને ડે.સીએમ. નીતિન પટેલેની હાજરીમાં ડોકટર અતુલ પટેલે મીડિયાને આ અંગેની જાણકારી આપી છે. તેઓએ બતાવ્યું કે કોરોના વાયરસના બે અલગ સ્ટ્રેન છે - L સ્ટ્રેન અને S સ્ટ્રેન. તેમાં L સ્ટ્રેન ચીનના વુહાનનો ઓરિજનલ સ્ટ્રેન છે. આ વાયરસની અસર ઘણી ઘાતક છે અને જેના કારણે જલ્દી મોત થાય છે. વુહાનની બાદ L સ્ટ્રેનના મ્યુટેશન S સ્ટ્રેન બને. આ અપેક્ષાકૃત ઓછી ઘાતક છે.
આવી રીતે સમજો વાયરસનું સ્ટ્રેન
કોવિડ-19 સંક્રમણ Sars-Cov2 ના કારણે થાય છે. જે RNA વાયરસ છે. જેનો મતલબ છે કે આ વાયરસનો જીનોમ રાઇબોન્યુક્લિક એસિડથી બન્યો છે. ન્યુક્લિક એસિડના સિકવેંસ માં બદલાવના કારણે મ્યુટેશન થાય છે. આ રીતે જીનોમમાં અંતર હોવાના કારણે બે પ્રકારના સ્ટ્રેન્સની ઓળખ થાય છે. L સ્ટ્રેન અને S સ્ટ્રેન.
કેરળમાં S સ્ટ્રેન વધારે
ડોકટર અતુલે જણાવ્યું કેરળ સરકારના મેડિકલ સલાહકારના અનુસાર ત્યાં બહારથ આવેલા કોરોનાના વધારે કેસ દુબઇના હતા. ત્યાં મધ્યમ S સ્ટ્રેન છે. આ કારણે કેરળમાં કોરોનાનો પ્રભાવ ઘણી હદ સુધી ઓછો થયો છે. જ્યારે ગુજરાતમાં અમેરિકા અને યુરોપીય દેશથી આવનારા વધારા છે, જ્યાં L સ્ટ્રેન કોમન છે. જેના કારણે ગુજરાતમાં L સ્ટ્રેન પ્રભાવ હોવાની શક્યતા છે, જેના કારણે ત્યાં મોત વધારે થઇ રહી છે.
પ્રભાવિત દેશોમાં અલગ સ્ટ્રેન
કેટલાક વિશેષજ્ઞોના જણાવ્યાં અનુસાર અલગ-અલગ દેશોમાં આ વાયરસના અલગ સ્ટ્રેન ઉપસ્થિત છે. જેમ કે ઇરાનમાં ચીનના વાયરસ જેવા સ્ટ્રેન જોવા મળ્યાં. જ્યારે ઇટાલી અને અમેરિકામાં ઘણા દેશના મિક્સ જીનોમ જોવા મળ્યાં કારણ કે આ દેશના લોકો ટ્રાવેલિંગ વધારે કરે છે.