ગુજરાતમાં માસિક ધર્મને લઈને કચ્છની હોસ્ટેલમાં થયેલ ઘમાસાણન બાદ ગુજરાત હાઈકોર્ટે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકારને નોટીસ ફટકારી છે.
માસિક ધર્મ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ
કચ્છની હોસ્ટેલમાં થયેલા વિવાદ બાદ હાઈકોર્ટનું કડક વલણ
માસિક ધર્મના આધારે મહિલાઓ સાથે કયાંય ભેદભાવ નહીં: HC
માસિક ધર્મ મુદ્દે ગુજરાત હાઈકોર્ટનો મહત્વનો આદેશ આપ્યો છે. માસિક ધર્મને લઈને કચ્છની હોસ્ટેલમાં થયેલા વિવાદ બાદ ગુજરાત હાઈકોર્ટનું કડક વલણ સામે આવ્યું છે.
શું કહ્યુ હાઈકોર્ટે
હાઈકોર્ટે કહ્યું માસિક ધર્મના આધારે મહિલાઓ સાથે કયાંય ભેદભાવ નહીં થાય. માસિક ધર્મના આધારે મહિલાઓને કયાંય અવગણી નહીં શકે. કેન્દ્ર અને રાજ્ય સરકારને હાઈકોર્ટે નોટિસ આપી
સરકારને મહિલાઓના મામલે ગંભીરતા દાખવવા કહ્યું હતુ.
આ ગુજરાત હાઈકોર્ટમાં આ અંગે અરજી થઈ હતી કે મહિલાઓ સાથે માસિકધર્મ મામલે કોઈ પણ પ્રકારનો ભેદભાવ તેના મૂળભૂત અધિકારો વિરૂદ્ધ છે જેમાં બંધારણમાં જણાવેલ આર્ટિકલ 14,15,17, 19 અને 21ને ટાંકીને સંદર્ભ ટાંકવામાં આવ્યો હતો.
શું છે મામલો?
સહજાનંદ ગર્લ્સ ઈન્સ્ટીટયુટની હોસ્ટેલમાં ફરજિયાત માસિક ધર્મના પાલન અંગે વિવાદ ઉભો થયો હતો. ભુજમાં એક શરમજનક કિસ્સો બહાર આવ્યો હતો. મિરજાપર રોડ પર આવેલી ભુજ સ્વામિનારાયણ મંદિર સંચાલિત સહજાનંદ ગર્લ્સ ઇન્સ્ટિટ્યૂટના સંકુલમાં પ્રિન્સિપાલ, એડમિનિસ્ટ્રેટર, શિક્ષિકા અને એક પટાવાળા બહેને તમામ 60 છાત્રાઓને વસ્ત્ર ઉતરાવી માસિક ધર્મમાં કોણ છે એની તપાસ કરી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયના નિયમ પ્રમાણે ઋતુધર્મ (માસિક) વાળી છોકરીઓએ અલગ જમવાનું અને છેટા બેસવાનું હોય, પરંતુ છાત્રાઓ ખરેખર માસિકમાં છે કે કેમ તે છુપાવતી નથી તે ચકાસવા માટે વસ્ત્રો ઉતરાવાયા હતા.
શું કહેવું છે વિદ્યાર્થીનીઓનું?
કેટલીક છાત્રાએ જણાવ્યું હતું કે, છાત્રાલયમાં રહેતી 60 છોકરીઓને કોલેજના ખંડમાં બોલાવી હતી અને પ્રિન્સિપાલ રીટાબેન રણીંગા, એડમિનિસ્ટ્રેટર અનીતાબેન, શિક્ષિક રમીલાબેન અને નયનાબેને છોકરીઓને એક પછી એક પ્રિન્સિપાલની ચેમ્બરમાં આવેલા વોશરૂમમાં વસ્ત્રો ઉતરાવીને માસિક ધર્મની ચકાસણી કરી હતી.
કતારબંધ ઊભેલી કન્યાઓ સીસીટીવી ફૂટેજમાં કેદ
પ્રિન્સિપાલની ચેમ્બરમાં સીસીટીવી કેમેરા લાગેલા છે, મંગળવારે સવારે 11થી 12 વાગ્યાના અરસામાં ખંડમાં બધીને બોલાવી એક પછી એક છોકરીને આરોપીની જેમ ચેમ્બરમાં બોલાવાઇ હતી તે સીસીટીવી ફૂટેજમાં કેદ થઇ ગયું હતું.
માફીપત્ર લખાવી લેવાયા
પેડ ફેંકવાના કસુર બદલ છોકરીઓ પાસે માફીપત્ર લખાવાયા હતા. સંચાલકોનો દાવો છે કે દીકરીઓએ સામેથી માફીપત્ર લખી આપવા તૈયારી દર્શાવી હતી. સ્વામિનારાયણ સંપ્રદાયની રૂઢિનું પાલન કરાવવા હૉલમાં વિદ્યાર્થિનીઓના માસિક ધર્મની તપાસ કરીવિરોધ કર્યો તો સંચાલકોએ કહ્યું- તમને ના ફાવતું હોય તો હોસ્ટેલ અને કોલેજ છોડી દો.