લૉકડાઉન પાર્ટ-3 પૂર્ણ થવાને આરે છે તેમ છતાં ભારતમાં કોરોનાના દર્દીઓની સંખ્યા સતત વધી રહી છે, ગુજરાતમાં ખાસ કરીને અમદાવાદની સ્થિતિ વધારે ગંભીર બની છે ત્યારે રાજ્યના છેલ્લા 24 કલાકના કોરોના વાયરસના કુલ કેસ અંગેની વિગતવાર જાણકારી રાજ્ય સરકારના આરોગ્ય વિભાગના અગ્રસચિવ જ્યંતિ રવિએ પ્રેસ કોન્ફરન્સ દ્વારા માહિતી આપી હતી કે, ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં નવા 364 કેસ નોંધાયા છે. તો અમદાવાદમાં 292 નવા કેસ સાથે શહેરમાં કુલ દર્દીઓનો આંકડો 6645 થયો છે.
રાજ્યમાં કોરોના વાયરસનો કહેર યથાવત
અમદાવાદમાં ફરીવાર ચિંતાજનક 292 કેસ નોંધાયા
રાજ્યમાં કુલ કોરોનાના દર્દીઓની સંખ્યા 9268 થઇ
પત્રકાર પરિષદને સંબોધન કરતા આરોગ્ય વિભાગના અગ્ર સચિવે જણાવ્યું હતું કે, અત્યાર સુધીમાં રાજ્યમાં કુલ કોરોના પોઝિટિવ લોકોની સંખ્યા 9268 થઇ છે. તેમણે વધુમાં કહ્યું કે, રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 29 દર્દીઓના આજે મોત થયા છે. તો રાજ્યમાં કોરોનાના દર્દીઓમાં રિકવરી રેટ 38 ટકા થયો.
આજના નવા કેસ
અમદાવાદ
292
વડોદરા
18
સુરત
23
ભાવનગર
3
પાટણ
2
પંચમહાલ
1
બનાસકાંઠા
1
મહેસાણા
8
ગીર-સોમનાથ
1
ખેડા
1
જામનગર
3
અરવલ્લી
1
મહીસાગર
1
દેવભૂમિ દ્વારકા
7
જુનાગઢ
1
અમરેલી
1
કુલ
364
આજે રાજ્યમાં 316 દર્દીઓ થયાં સાજા
આ સાથે આજ રોજ 315 દર્દીઓ સ્વસ્થ થતાં તેમને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ અત્યાર સુધીમાં કુલ કોરોનાગ્રસ્ત 3562 લોકોએ કોરોનાને મ્હાત આપી ઘરે પરત ફર્યા છે.
39 દર્દીઓ વેન્ટિલેટર પર
આરોગ્ય સચિવ જયંતિ રવિએ વધુમાં જણાવ્યું હતું કે, હાલ રાજ્યમાં 39 દર્દીઓ વેન્ટિલેટર પર છે. આ સાથે જ 5101 લોકો સ્ટેબલ છે. આજના ટેસ્ટ વિશેની જાણકારી આપતા આરોગ્ય વિભાગે વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યમાં કુલ 12297 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. જેમાં 9268 પોઝિટિવ આવ્યા છે તો 113029 રિપોર્ટ નેગેટિવ આવ્યા છે.