સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું જેમાં એમને ગુજરાતના મોરબીમાં બનેલ દુર્ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવીને CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માંગ્યું હતું.
સીએમ અરવિંદ કેજરીવાલે CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું માંગ્યું
મોરબીની દુર્ઘટનાના મુદ્દાને લઇને રાજનીતિ શરૂ થઈ ગઈ
અરવિંદ કેજરીવાલે પૂછ્યા ચાર પ્રશ્ન
મોરબીમાં ઝૂલતો પૂલ તૂટવાની દુર્ઘટના બનતા આ હોનારતમાં સરકારી આંકડા મુજબ અત્યાર સુધી 134 લોકોના મોત નિપજ્યાં છે. હજુ તો ગુજરાતના લોકો આ દુર્ઘટનાને શોકમાંથી બહાર નથી આવ્યા એટલામાં જ આ મુદ્દાને લઇને રાજનીતિ શરૂ થઈ ગઈ છે. આજએ દિલ્હીના સીએમ અરવિંદ કેજરીવાલે એક પ્રેસ કોન્ફરન્સનું આયોજન કર્યું હતું અને એ પ્રેસ કોન્ફરન્સમાં એમને ગુજરાતના મોરબીમાં બનેલ આ પુલની દુર્ઘટનાને ભ્રષ્ટાચારનું પરિણામ ગણાવ્યું હતું. આ સાથે જ એમને CM ભૂપેન્દ્ર પટેલનું રાજીનામું પણ માંગ્યું હતું.
मोरबी में पुल गिरने के जिस हादसे के कारण पूरा देश हिला हुआ है, शोक मना रहा है, वह एक हादसा नहीं बल्कि हत्या है। गुजरात में भाजपा के भ्रष्टाचार ने 150 लोगो की जान ले ली है।
અરવિંદ કેજરીવાલે પૂછ્યા ચાર પ્રશ્ન
પ્રેસ કોન્ફરન્સની શરૂઆતમાં કેજરીવાલે મોરબીની દુર્ઘટનામાં મૃત્યુ પામેલ લોકોને શ્રદ્ધાંજલિ આપી હતી અને એ પછી એમને તેમના પ્રશ્નનો સિલસિલો શરૂ કર્યો હતો. કેજરીવાલે કહ્યું હતું કે, ' આ એક ખૂબ મોટા ભ્રષ્ટાચારનો મામલો છે જેને હવે દબાવવાની કોશિશ કરવામાં આવી રહી છે. મેં મીડિયા રિપોર્ટમાં જોયું કે એક દીવાલ ઘડિયાળ બનાવતી કંપનીને પુલ રીનોવેશનનું કામ સોંપવામાં આવ્યું હતું. તો મારો આ દુર્ઘટનાને લઈને પહેલો પ્રશ્ન એ ઉઠે છે કે એક ઘડિયાળ બનાવતી કંપનીને આ કામ કેમ આપવામાં આવ્યું? બીજો પ્રશ્ન એ છે કે જે કંપનીને કોઈ જ પ્રકારનો આ વિશે અનુભવ નહતો તેને ટેન્ડર આપ્યા વીના આ કામ કેમ સોંપવામાં આવ્યું હતું?
પાર્ટીને કેટલું દાન આપ્યું હતું?
આગળ કેજરીવાલે કહ્યું હતું કે, 'આ બધી વાતનો એવો મતલબ થાય છે કે એ કંપનીનું ભાજપ સાથે કોઈ કનેક્શન છે, પાર્ટી કે તેના નેતાઓ સાથે કોઈ સંબંધ છે. ત્રીજો પ્રશ્ન એ છે કે જે પુલ 12 મહિનામાં બનાવવાનો હતો તે 5-7 મહિનામાં બનાવીને કેમ આપી દીધો અને હવે જે FIR થઈ છે તેમાં ક્યાંય પણ એ કંપનીનો કે કંપનીના માલિકનો ઉલ્લેખ કેમ નથી થયો? એમને બચાવવાનું કામ શરૂ થઈ ગયું હોય એવું લાગી રહ્યું છે. આ બધા સિવાય બીજો એક આરોપ એ લાગ્યો છે કે આ કંપનીએ તેમની પાર્ટીને દાન આપ્યું છે અને મોટી રકમ દાનમાં આપી છે એવા આરોપો પણ લાગ્યા છે. તો હું એમ પૂછવા માંગુ છે કે કંપનીને પાર્ટીને કેટલું દાન આપ્યું હતું?
मोरबी का हादसा एक बड़े भ्रष्टाचार का मामला। BJP सरकार से देश के लोगों के कुछ सवाल-
घड़ी बनाने वाली कंपनी को पुल का ठेका क्यों?
बिना Tender के ठेका क्यों दिया?
कंपनी और मालिक का नाम FIR में क्यों नहीं है? उन्हें क्यों बचाया जा रहा है?
क्या BJP को कभी इस कंपनी से चंदा मिला? कितना? pic.twitter.com/prBgGaya5j
રાજીનામું આપી જલ્દી જ ચૂંટણીનું આયોજન કરવું જોઈએ
કેજરીવાલે કહ્યું હતું કે, 'આ બધા જવાબ તો સરકારે આપવા જ પડશે. આટલા લોકોની મૃત્યુ ભ્રષતાચારને કારણે થઈ જાય તો એ રાજ્યના મુખ્યમંત્રીને CM બની રહેવાનો કોઈ નૈતિક અધિકાર નથી. તેને જલ્દી રાજીનામું આપીને ફરી ચૂંટણીનું આયોજન કરવું જોઈએ.'