છેલ્લા ઘણા વર્ષોથી ચર્ચામાં રહેલું અને ગમે તે ઘડી એ બંધ કરી દેવાશે તેવું ભાવનગરનું ગુજરાત સરકારનું જહાજ બનાવવાનું સાહસ આલ્કોક એશડાઉનને બંધ કરવાનો સરકારે નિર્ણય કર્યો છે. શનિવારે જ તાળા મારી ૫૩ કર્મચારીઓને છુટા પણ કરી દેવાયા હતા.
ભાવનગર ખાતે કેન્દ્ર સરકાર દ્વારા ૧૯૭૫માં જહાજ બનવાના કામ માટે એક માત્ર એવી શીપીંગ કંપની આલ્કોક એશડાઉનની શરૂઆત કરી હતી. જો કે ૧૯૭૮માં કંપનીનું ખાનગીકરણ થયું અને ત્યારબાદ ૧૯૯૪માં ખોટનો વ્યપાર કરતી આ કંપનીને રાજ્ય સરકરે હસ્તગત કરી હતી.
જો કે હવે રાજ્ય સરકારે જ આ કંપનીને તાળા મારવાનો નિર્ણય જાહેર કરતા ભાવનગરનો વધુ એક ઉદ્યોગ બંધ થવા પામ્યો છે. ૧૯૯૫થી ગુજરાતમાં ભાજપની સરકાર વિકાસની વાતો કરે છે પરંતુ ખુદ સરકારે જ આ શીપ બિલ્ડીંગ કંપની પર હવે પડદો પાડી દીધો છે. આ કંપનીને ૨૦૦૭માં નેવી માટે ૬૫૦ કરોડના ખર્ચે પાંચ જહાજો બનવાનું કામ મળ્યું હતું અને આ કંપનીને ૨૮૦ કરોડ જેવી રકમ ચૂકવી પણ દીધી છે.
જ્યાં બીજી બાજુ આ કંપનીએ એક જહાજ બનાવીને નેવીને આપી દીધું છે. જ્યારે બીજા ૪ જહાજો ૬૦ ટકાથી વધુ કામ થઇ ગયું છે. પરંતુ નેવી દ્વારા પૈસા ન અપાતા આ કામગીરી ઠપ થઇ ગઈ છે. અહીંના કર્મચારીઓએ છઠ્ઠા અને સાતમાં પગારપંચ માટે એક વર્ષ પહેલા આંદોલન કરેલું ત્યારે તેમને બધું જ મળશે તેવું આશ્વાસન હાલના શીપીંગ મંત્રી મનસુખ માંડવીયાએ આપ્યું હતું.
પરંતુ આ આશ્વાસન કાગળ ઉપર રહ્યું છે અને સરકાર આખરે આલ્કોક એશડાઉનને આજથી જ તાળા મારી દીધા છે. આ વાતને ભાવનગર મહાનગરપાલિકાના કમિશ્નર અને આલ્કોક એશડાઉનના એમડી એમ.એ.ગાંધીએ સમર્થન આપ્યું હતું.