ભારત-ચીનના સૈનિકો વચ્ચે ગાલવાન ઘાટીમાં થયેલ હિંસક અથડામણમાં ભારતના 20 જવાનો શહીદ થયાં છે. આ ઘટના બાદ બંન્ને રાષ્ટ્રો વચ્ચે તણાવનો માહોલ સર્જાયો છે અને લોકોએ ચીનની વસ્તુઓને બોયકોટ કરવાનો નિર્ણય કર્યો છે. ત્યારે રાજ્ય સરકારે શાળાઓમાં ચીનની કંપનીના ટેબલેટનું વિતરણ કરતા આત્મનિર્ભર ભારત અને સ્વેદેશી વાતો ખુલ્લેઆમ પોકળ સાબિત થઇ છે.
ભારત-ચીન વચ્ચે તણાવનો માહોલ
રાજ્ય સરકારે શાળાઓમાં 40 હજાર ચીની ટેબ્લેટનું કર્યુ વિતરણ
ઉલ્લેખનીય છે કે, ભારત-ચીન વચ્ચે થયેલા તણાવ બાદ દેશમાં ચાઇનીઝ વસ્તુઓના ખરીદ-વેચાણ મામલે લોકોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે ત્યારે રૂપાણી સરકારે સરકારી અને ગ્રાન્ટ ઈન સ્કૂલમાં સરકારે જ 40 હજાર ટેબ્લેટનું વિતરણ કરતા વિવાદનો મધપૂડો છંછેડાઇ શકે છે.
— VTV Gujarati News and Beyond (@VtvGujarati) June 23, 2020
આશરે 325 જેટલી શાળામાં કર્યું ટેબલેટ વિતરણ
ઉલ્લેખનીય છે કે, મહાનગરપાલિકા સંચાલિત નગર પ્રાથમિક શિક્ષણ સમિતિની આશરે 325 શાળામાં ટેબલેટ થકી 4 હજાર શિક્ષકો, 1.58 લાખ વિદ્યાર્થીઓને સુવિદ્યા સાથે શિક્ષણને લગતો સમગ્ર અહેવાલ CRCને મળશે. સીઆરસી ઓને અગાઉ ટેબલેટ ફાળવવામાં આવ્યા હતા. જેનો સમગ્ર અહેવાલ ગાંધીનગરમાં કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમ ખાતેથી થશે.