ભારત દેશ વિશ્વની સૌથી મોટી લોકશાહી ધરાવતો દેશ છે. લોકશાહીમાં નેતાઓનો લોકસંપર્ક ખુબ જ અગત્યનો ભાગ છે કારણ કે, વધુને વધુ લોકોના સંપર્ક થકી જ નેતા ચૂંટાઇ આવે છે. લોકો દ્વારા ચૂંટાયેલા નેતાઓએ કામ પણ જનતાના જ કરવાના હોય છે. આ તમામ બાબતનું એક તાજું ઉદાહરણ છે ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ.
યોગી આદિત્યનાથે પ્રજાને પોતાની સરકાર સાથે સતત જોડવા માટે અનેક પ્રયાસો કર્યા છે. ઉત્તર પ્રદેશમાં યોગી સરકાર રચાયા બાદ મુખ્યમંત્રીએ સૌ પ્રથમ જાહેરમાં પોતાની સરકારના વિવિધ નંબરો પહોંચતા કર્યા જેથી લોકો સીધા જ ફરિયાદ સરકાર સમક્ષ કરી શકે. ત્યારબાદ તેમણે સવારે 9 થી 11 સુધી રાજ્યના કલેક્ટર તથા પોલીસ વડાઓને સરકારી ઓફિસમાં હાજર રહેવા કહ્યું જેથી પ્રજા પોતાના પ્રશ્નો સંભળાવી શકે.
ત્યારબાદ યોગી સરકારે 1076 નંબરની CM હેલ્પલાઇન શરૂ કરી જેના પર જનતા મુખ્યમંત્રીને પોતાની ફરિયાદ કરી શકે. યોગી આદિત્યનાથે લોકસંપર્ક માટે જે પ્રયાસો કર્યા છે તેવી જ રીતે ગુજરાત સરકારે પણ આવું કરવું જોઇએ કે નહીં આ જ મુદ્દે જુઓ AarPar With Hemant...