26મી જાન્યુઆરી 2001ની ગોઝારી સવાર કદાચ ક્યારેય ભૂલી ન શકાય. એ દિવસ ગુજરાતના ઈતિહાસમાં કાળા દિવસ તરીકે નોંધાઈ ચૂક્યો છે. કચ્છ-ભૂજમાં આવેલા ધરતીકંપે કંઈ કેટલાયના ભોગ લીધા અને કેટલાય લોકો પરિવાર વિહોણા થઈ ગયા. પણ તોય એ કાટમાળમાંથી કેટલાય એવું મનોબળ લઈને ઉઠ્યા કે આજે તેમને સેલ્યુટ કરવાનું મન થાય. આવીજ કહાની છે નીતા અને પરાગની.
નીતા અને પરાગ મળ્યા અને પ્રેમ થઈ ગયો
બાળકો થવાની શક્યતા ન હતી તેમ છતા આપ્યો દીકરાને જન્મ
નીતા 500થી વધુ મહિલાઓની છે પ્રેરણામૂર્તિ
આજે વાત કરવી છે આવી જ એક યુવતીની જેણે ભૂકંપમાં પોતાના સાજા સારા પગ ખોયા અને જીવનની નીરાશા વચ્ચે પણ અડિખમ એ યુવતીએ ડોક્ટરોને પણ અચબિંત કરી દે તેવું કરી બતાવ્યું.અંજારના એક નાનકડા ગામમાં રહેતી 17 વર્ષની નીતા એ સમયે 10માં ધોરણ માં અભ્યાસ કરતી હતી. 26મી એ સવારે કચ્છ ની ધરા ધ્રુજી. પોતાના પર દીવાલ પડવાથી બે દિવસ નીતા કાટમાળ નીચે દટાયેલી રહી અને નિતાને સ્પાઇનલ કોર્ડ ઈંજરી નો પ્રૉબ્લેમ થયો. તેના પગ પેરેલાઈસ થઈ ગયા.
નીતા અને પરાગ મળ્યા અને પ્રેમ થઈ ગયો
અનેક ઓપરેશન બાદ નીતા ને સારવાર માટે 2005માં અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવી. જ્યાં NGO માં કામ કરતા અને સિવિલમાં વિઝિટ માટે આવતા પરાગ સાથે નિતાને થઈ ગયો પ્રેમ.
પરાગ પણ છે આત્મવિશ્વાસથી ભરપૂર
પરાગની સ્ટોરી પણ ખુબ ઈન્સપાયરીંગ છે. પરાગ પોતે નોર્મલ જન્મ્યો હતો પણ પોલિયોએ તેને ડિઝેબલ બનાવી દીધો હતો. તેને નીતા ગમી ગઈ અને બંનેની પ્રેમ કહાની લગ્નમાં પરીણમી. પણ કહે છેને કે, મુસીબતો કંઈ એમ થોડી પીછો છોડે છે? આવુ જ કંઈક ડોક્ટરોએ કહ્યુ કે, નીતા માતા નહીં બની શકે અથવા તો બાળકને જન્મ નહીં આપી શકે પરંતુ રામ રાખે તેને કોણ ચાખે આજે નીતા અને પરાગને ત્યાં બાળકનો જન્મ થયો છે અને આ પરિવાર નોર્મલ પરિવારની જેમ જ જીંદગી વિતાવે છે. શરીર માં અલગ અલગ 24 ઓપરેશન વાળી નિતા આજે પ્રેરણાનું ઝરણુ છે.
બાળકો થવાની શક્યતા ન હતી તેમ છતા આપ્યો દીકરાને જન્મ
ભૂકંપ ની ઘટનાને હાલ તો 19 વર્ષ જેટલો સમય વીતી ગયો છે ને નીતા અને પરાગ ના સફળ લગ્નજીવન ને 15 વર્ષ જેટલો સમય વીતી ગયો છે. નીતા અને પરાગ કહે છે કે અમે બંને દિવ્યાંગ હોવાથી દિવ્યાંગોની પીડા સારી રીતે સમજીએ છીએ. આ દંપતી દિવ્યાંગો માટે સેન્ટર પણ ચલાવે છે. તો નીતા પંચાલ છેલ્લા 5 વર્ષ થી ડિસેબલ વુમન સેન્ટર ચલાવે છે.
500થી વધુ મહિલાઓની છે પ્રેરણામૂર્તિ
આ સેન્ટર થકી દિવ્યાંગોને મળતા લાભઓની સમજ આપવામાં આવે છે. નીતા 5 વર્ષમાં 500 થી વધુ ડિસેબલ મહિલાઓને રોજગાર અપાવી ચુકી છે. જીવન માં આવી પડેલી આટલી મોટી આફ્ટને લઈ નીતાએ જીવનના એ પડાવ પર પૂર્ણ વિરામ મુકવાની જગ્યાએ અલ્પવિરામ મૂકીને જીવન ને સફળ વળાંક આપ્યો.. હાલ નીતા અને પરાગ નું સફળ લગ્નજીવન અન્ય દિવ્યાંગો માટે પણ પ્રેરણા રૂપ બન્યું છે.