ગાંધીનગરમાં પશુપાલન વિભાગમાં ફરજ બજાવતા મદદનિશ નિયામક ડો.એસ.ડી.પટેલે સત્તાનો દુર ઉપયોગ કરીને 125 અરજદારોને 10.15 કરોડ રુપિયા ફાળવી દેતા મામલો એસીબીમાં પહોચ્યો છે. પશુપાલન વિભાગના નિયામકે એસીબીમાં ડો.એસ.ડી.પટેલ વિરુધ્ધમાં ફરિયાદ કરી છે જેમાં એસીબીની ટીમે તપાસનો ધમધમાટ શરુ કરીને સમગ્ર કૌભાંડનો પર્દાફાશ કરવા માટે તજવીજ શરુ કરી છે.
પશુપાલન વિભાગના મદદનિશ નિયામકે કર્યો સત્તાનો દુર ઉપયોગ
125 અરજદારોને 10.15 કરોડ રુપિયાની કરી ફાળવણી
ACB માં નોંધાઇ ફરિયાદ
એસીબી પાસેથી મળેલી વિગતો અનુસાર પશુપાલન વિભાગમાં ગૌચર સુધારણા, ગૌશાળા તેમજ પાંજરાપોળને અધ્યતન બનાવવાની ત્રણ અલગ અલગ યોજનાઓ માટે એનજીઓ, સંસ્થાઓ દ્રારા સંખ્યાબધ અરજીઓ આવી હતી. જેમાં પશુપાલન વિભાગના મદદનિશ નિયામક તરીકે ફરજ બજાવતા ડો.એસ.ડી.પટેલે 125 જેટલી અરજીઓ કરનાર અરજદારોને 10.15 કરોડ રુપિયા ફાળવી દીધા હતા.
સત્તાનો દુર ઉપયોગ કરી 10.15 કરોડ રુપિયાના ચેક ઇસ્યુ કર્યા
ડો.એસ.ડી.પટેલ પાસે કોઇપણ એનજીઓ કે ટ્રસ્ટ કે અન્ય અરજદારોને મંજુરી આપવાની કોઇપણ સત્તા નથી. તેમને ત્રણ યોજનાઓમાં કુલ 125 અરજીઓ માટે બોર્ડ, બોર્ડના ચેરમેન કે સભ્ય સચિવ કે સરકારની કોઇપણ મંજુરી લીધા વગર તેમજ કોઇપણ નાણાકીય સત્તા નહી હોવા છતા સત્તાનો દુર ઉપયોગ કરી 10.15 કરોડ રુપિયાના ચેક ઇસ્યુ કરી દીધા હતા.
ગૌશાળા અને પાંજરાપોળને અદ્યતન બનાવવા માટે અપાયા 92 લાખ
તારીખ 15 મે થી 29 મે સુધીમાં 87 અરજીઓ માટે સહાય ચુકવવા માટે કુલ 8.63 કરોડ રુપિયા ઇસ્યુ કર્યા હતા જ્યારે આંતર માળખાકીય સુવિધાઓ માટે 60 લાખ ચેક ઇસ્યુ કર્યા તેમજ ગૌશાળા અને પાંજરાપોળને અદ્યતન બનાવવા માટે 92 લાખ રુપિયાના ચેક ઇસ્યુ કર્યા હતા.
ACB માં નોંધાઇ ફરિયાદ
સરકાર તેમજ પશુપાલન નિયામકોને આ વાત ધ્યાને આવતા તેમને તરતજ એસીબીમાં ફરિયાદ કરી છે. એસીબીએ આ મામલે ગુનો દાખલ કરીને તપાસનો ધમધમાટ શરુ કર્યો છે. કોઇપણ પ્રકારની સત્તા નહી હોવા છંતાય 125 લોકોને 10.15 કરોડની લાહણી કરનાર એસ.ડી.પટેલ સહિત તેમની સાથે સંકળાયેલા તમામ કૌભાડીઓ વિરુધ્ધમાં તપાસ થશે. આ કૌભાડમાં અન્ય સરકારી બાબુઓની સંડોવણી સામે આવી તેવી શક્યતા છે.