અમિત ચાવડાએ કહ્યું આંતરિક વિખવાદ તો ધાનાણીએ સરકારની નિષ્ફળતાને ઠેરવી જવાબદાર અને અર્જુન મોઢવાડિયાએ સી.આર.પાટીલ પર કર્યા આકાર પ્રહાર
રૂપાણીના રાજીનામાં પર કોંગ્રેસની તીખી પ્રતિક્રિયા
ભાજપ સરકાર અને સંગઠન પર ચાબખા
અમિત ચાવડા, પરેશ ધાનાણી, અર્જુન મોઢવાડીયા
આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો : અમિત ચાવડા
રૂપાણીના રાજીનામાં પર અમિત ચાવડાએ નિવેદન આપતા કહ્યું હતુ કે ગુજરાતના તમામ વર્ગના લોકો આર્થીક રીતે પાયમાલ થઈ ચૂક્યા છે,ભાજપ સરકારમાં ગુજરાતીઓ હાડમારીનો સામનો કરી રહ્યા છે. સાથે આકરા પ્રહાર કરતાં કહ્યું હતું કે નિષ્ફળતા છુપાવવા રિમોટ કંટ્રોલથી ચાલતા વિજયભાઈનું રાજીનામું લેવાયું છે અને આનંદીબેન બાદ વિજયભાઈ ને પણ તેમનો કાર્યકાળ પૂર્ણ કરવાના દેવાયો છે વધુમાં ભાજપ પર નિશાન શાધતા કહ્યું હતું કે આંતરિક વિખવાદનો ભોગ વિજયભાઈના રાજીનામાંથી લેવાયો તેમજ ફોટો સરકારની તમામ નિષ્ફળતા છુપાવવા વિજયભાઈનું રાજીનામું દેવાયું છે પાંચ વર્ષની ઉજવણી સમયે જ નક્કી હતું કે વાજતે ગાજતે વિદાય થઇ રહી છે
નિષ્ફળતાને ઢાંકવા માટે ચહેરો બદલાયો છે: પરેશ ધાનાણી
રૂપાણીના રાજીનામાં પર વિપક્ષ નેતા પરેશ ધાનાણીએ કહ્યું હતું કે ગુજરાતમાં કોરોના કાળમાં યોગ્ય આરોગ્ય સુવિધા ઊભી કરવામાં સરકાર નિષ્ફળ રહી, ભાજપમાં ચાલી રહેલી આંતરિક લડાઈના કારણે રૂપાણીએ રાજીનામું આપ્યું છે. આ સાથે ભાજપ પર ચાબખા મારતા ધાનાણીએ કહ્યું હતું કે જ્ઞાતીવાદ અને કોમવાદથી ભાગલા પાડી રાજ કરવાનું ષડયંત્ર રચાશે. સરકારની નિષ્ફળતાને ઢાંકવા ચહેરો બદલાયો છે.
સી.આર.પાટીલ સહિતના ગુન્હેગાર સરકાર ચલાવશે: અર્જુન મોઢવાડીયા
મુખ્યમંત્રી વિજય રૂપાની ના રાજીનામાં ને લઈ ને કૉંગ્રેશ નેતા અર્જુન મોઢવાડીયાએ પ્રતિક્રિયા આપી હતી. અને કહ્યું હતું કે ગુજરાતના રાજકારણમાં વિજય રૂપાણીના રાજીનામાંથી એક રિમોટ કન્ટ્રોલથી ચાલતું રાજકારણ ખતમ થયું. કોરોના મહામારીમાં સરકારની નિષફળતા અને બેરોજગારી ને કારણે રાજીનામુ આપવું પડ્યું છે. સાથે ભાજપના પ્રદેશ અધ્યક્ષ પર નિશાન સાધતાં કહ્યું હતું કે સી.આર.પાટીલ સહિતના ગુન્હેગાર સરકાર ચલાવશે. આખી સરકાર બરખાસ્ત કરી નવો જનદેશ લાવવો જોઈએ તેવી વાત પણ અર્જુન મોઢવાડીયાએ કરી હતી.
રૂપાણીના રાજીનામા બાદ કોંગ્રેસે પ્રેસવાર્તા કરી પ્રહાર કર્યા