કેન્દ્ર સરકાર દ્વારા હાલમાં જ પસાર કરવામાં આવેલા કેન્દ્રીય કૃષિ બિલોને લઇને આજે દેશભરમાં કોંગ્રેસ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે. ત્યારે ગુજરાતના પાટનગર ગાંધીનગર ખાતે કોંગ્રેસ દ્વારા કૃષિ બિલોનો વિરોધ કરવામાં આવ્યો છે.
પ્રદેશ કોંગ્રેસ અમિત ચાવડા તેમજ વિધાનસભાના વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીની અધ્યક્ષતા કોંગ્રેસ કાર્યકરો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે.
કૃષિ બિલના વિરોધમાં ગાંધીનગર ખાતે કોંગ્રેસના નેતાઓ દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ દ્વારા વિધાનસભા પરિસ સામે સરદાર પટેલની પ્રતિમા પાસે દેખાવો કરવામાં આવ્યાં છે. ગાંધીનગર ખાતે બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાથી કુચ કરી રાજભવન સુધી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું છે. કોંગ્રેસ નેતા અમિત ચાવડા અને પરેશ ધાનાણીએ કૃષિ બિલોને ખેડૂત વિરોધી હોવાનું જણાવ્યું છે.
કૃષિ બિલના વિરોધમાં અમિત ચાવડાનું નિવેદન
કૃષિ બિલોના વિરોધમાં ગાંધીનગર ખાતે પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અમિત ચાવડાએ કેન્દ્ર સરકાર પર નિશાન તાક્યું હતું. અમિત ચાવડાએ કહ્યું કે ખેડૂત વિરોધી કાળા કાયદા પસાર કરાયા છે. ખેડૂતોને ટેકાના ભાવ નહીં મળે, ખેડૂતો પોતાના જ ખેતરમાં ગુલામ બનશે, ખેડૂતોની હાલત પહેલેથી જ ખરાબ હતી, ઈસ્ટ ઈન્ડિયા કંપનીની જેમ શાસન ચાલે છે, પહેલે લડે થૈ ગોરો છે અબ લડેગે ભાજપ કે ચોરો સે.
કૃષિ બિલના વિરોધમાં પરેશ ધાનાણીનું નિવેદન
કૃષિ બિલના વિરોધ મામલે પરેશ ધાનાણીએ નિવેદન આપ્યું છે કે ખેડૂતોની જમીન પચાવી પાડવાનું કાવતરૂ છે. જે ખેતરમાં ખેડૂત ખેતી કરતો હતો તેમાં જ હવે ખેડૂત મજૂર બનશે. ભાજપ પાર્ટી ખેડૂત વિરોધી પાર્ટી છે. ખેડૂતોની રોજગારી છીનવવાનો ભાજપનો પ્રયાસ છે. નાનો ખેડૂત ક્યાં માલ વેચવા જશે તે મોટી સમસ્યા છે. ટેકાના ભાવ આપવાથી સરકાર છટકવા માંગે છે. સંગ્રહખોરી, નફાખોરી વધારવાનુ ષડયંત્ર જોવા મળશે.