ભાજપને ઘેરવા ગુજરાત કોંગ્રેસે આપ પાર્ટીની જેમ જ સરકારી કર્મચારીઑ માટે જૂની પેંશન યોજના લાગુ કરવાનું મોટું વચન આપ્યું છે.
કોંગ્રેસે ભાજપની દુઃખતી નસ દબાવી
ગુજરાત કોંગ્રેસે નવા 3 વચનોની કરી જાહેરાત
2003માં રદ્દ થયેલ જૂની પેંશન યોજના ફરી શરુ કરાશે
આ વખતે ગુજરાતમાં ત્રણ પક્ષો મેદાને છે. એક તરફ AAP તરફથી કેજરીવાલ ગેરંટીઓ પર ગેરંટીઓ આપી ગુજરાતની જનતા માટે લહાણીનો વરસાદ કરી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ પણ મોટા વચનો આપી મતદારોને પડખે કરવાના પ્રયાસ કરી છે.
કયા 3 વચનો કોંગ્રેસે જનતાને આપ્યા?
ત્યારે ગુજરાત કોંગ્રેસની પત્રકાર પરિષદ યોજી અન્ય ત્રણ ચૂંટણીલક્ષી વચનોની જાહેરાત કરી છે. જેમાં ગુજરાતના સરકારી કર્મચારીઓના સળગતા મુદ્દા પર કૉંગ્રેસે ભાજપને ઘેરવા મોટા વચનો આપ્યા છે. જેમાં , 2003માં રદ્દ થયેલ જૂની પેંશન યોજના ફરી શરુ કરાશે, ઇન્દિરા રસોઈ યોજના હેઠળ રૂપિયા 8 માં જમવાનું મળશે, મનરેગાની જેમ શહેરી વિસ્તારમાં રોજગારની ગેરેન્ટી પણ આપવામાં આવી છે.આ પત્રકાર પરિષદમાં કોંગ્રેસ પ્રમુખ જગદીશ ઠાકોર, પ્રભારી રઘુ શર્મા, અર્જુન મોઢવાડીયા અને અમિત ચાવડા પણ હાજર હતા.
કોંગ્રેસે વચન પત્ર તૈયાર કર્યું
મહત્વનું છે કે આ પહેલા પણ રાહુલ ગાંધીને ગુજરાતની જનતા માટે 8 મોટા વચનો આપ્યા હતા. જેને લોકો સુધી લઈ જવા રાહુલ ગાંધીએ કરેલી આઠ જાહેરાતનું કોંગ્રેસે વચન પત્ર તૈયાર કર્યું છે. કોંગ્રેસ એક કરોડ થી દોઢ કરોડ વંચન પત્રો આપશે. વંચન પત્ર માટે કોંગ્રેસ પક્ષે નંબર પણ જાહેર કર્યો છે. 8108125125 મિસકોલ કરી રજીસ્ટ્રેશન કરાશે. એક કરોડ ઘરમાં પરિવાર દિઠ એક વંચન પત્ર આપવામાં આવશે. આગામી 24,25 અને 26 સપ્ટેમ્બરના રોજ કોંગ્રેસ ઘર ઘર સુધી જશે.આદિવાસીઓ માટે ઇન્દિરા વંચન પત્ર તૈયાર કરવામાં આવ્યું છે.
રાહુલ ગાંધીએ ગુજરાત પ્રવાસ દરમિયાન આપ્યા હતા વચનો
તમામ નાગરિકોને 10 લાખ સુધી મફત સારવાર, વિનામૂલ્યે દવાઓ