વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠકની પેટા ચૂંટણી નો પ્રચાર ચરમસીમાએ પહોંચ્યો છે .ભાજપ અને કોંગ્રેસ દ્વારા કપરાડા વિધાનસભા માટે સ્ટાર પ્રચારકોને મેદાનમાં ઉતાર્યા છે ત્યારે આજે કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલ કપરાડા વિધાનસભા બેઠકમાં કોંગ્રેસના ઉમેદવાર માટે ચૂંટણી પ્રચાર માટે પહોંચ્યા હતા.
વિધાનસભાની પેટા ચૂંટણીનો પ્રચાર
કપરાડની બેઠક માટે કોંગ્રેસનો પ્રચાર
હાર્દિક પટેલે સંબોધી ચૂંટણી સભા
વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભાની બેઠકની પેટા ચૂંટણીના પ્રચાર માટે આજે ગુજરાત પ્રદેશ કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલ કપરાડા પહોંચ્યાં હતા.કપરાડા તાલુકાના સુથારપાડામાં હાર્દિક પટેલે જંગી જાહેર સભા સંબોધી હતી. હાર્દિક પટેલે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર આકરા પ્રહાર કરતા તેમને ગદ્દાર કહ્યાં હતા. તેમણે ભાજપ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે,. જો સરદાર પટેલ જીવિત હોત તો આદિવાસીની જમીન પડાવીને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને કયારેય ન સ્વીકારત
કપરાડા તાલુકાના સુથારપાડા માં હાર્દિક પટેલને જંગી જાહેર સભા યોજાઇ હતી. જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી તુષાર ચૌધરી અને કોંગ્રેસના કપરાડાના બેઠકના ઉમેદવાર બાબુભાઈ વરઠા, વલસાડ જિલ્લા કોંગ્રેસ પ્રમુખ દિનેશ પટેલ સહિત કોંગ્રેસ અગ્રણીઓ અને કાર્યકર્તાઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા.
હાર્દિક પટેલની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા
હાર્દિક પટેલની આ સભામાં સોશિયલ ડિસ્ટન્સ ના ધજાગરા ઉડયા હતા. જોકે સભાને સંબોધતા કોંગ્રેસ અગ્રણીઓએ અનેક મુદ્દે સરકાર ને આડેહાથ લીધી હતી. મહત્વપૂર્ણ છે કે કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસની ટિકિટ પરથી ચૂંટાઈ આવતા જીતુભાઈ ચૌધરી રાજ્યસભાની ચૂંટણી વખતે જ કોંગ્રેસ છોડીને ભાજપમાં જોડાઈ ગયા હતા આથી આ પેટા ચૂંટણી આવી પડી છે. ત્યારે કોંગ્રેસ છોડીને ભાજપમાં ગયેલા ભાજપના ઉમેદવાર જીતુ ચૌધરી પર કોંગ્રેસ અગ્રણીઓએ આકરા પ્રહાર કર્યા હતા. આ સભામાં કોંગ્રેસ અગ્રણીઓએ જીતુ ચૌધરીને ગદ્દાર તરીકે ગણાવી અને આ વખતે કપડાની જનતાને જીતુ ચૌધરીને હરાવી જવાબ આપવા હાકલ કરી હતી.
જંગલની જમીન અંબાણી અદાણીને સોંપવા નું એક મોટું ષડયંત્ર
કોંગ્રેસ ઉમેદવારને જંગી લીડથી જીતવા માટે કોંગ્રેસના અગ્રણીઓએ હાાકલ કરી હતી. પોતાના સંબોધનમાં અનેક મુદ્દે હાર્દિક પટેલે ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા અને કોંગ્રેસને હંમેશા ગરીબો અને આદિવાસીઓની હમદર્દ ગણાવી હતી. વધુમાં સભાને સંબોધતા ભાજપ દ્વારા આદિવાસી વિસ્તારના ધારાસભ્ય ને ખરીદી અને જંગલ અને જંગલની જમીન અંબાણી અદાણીને સોંપવા નું એક મોટું ષડયંત્ર હોય તેવો આક્ષેપ કર્યો હતો.
સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રોજેક્ટ માં પણ આદિવાસીઓની જમીન હડપી અને આદિવાસીઓ પર અત્યાચાર ગુજારવામાં આવ્યો હોવાના હાર્દિક પટેલે આક્ષેપો કરી કર્યા હતા.આમ વલસાડ જિલ્લાના કપરાડા વિધાનસભા બેઠક પર કોંગ્રેસ અને ભાજપ દ્વારા આક્ષેપ પ્રતિઆક્ષેપ નો દોોર તેજ થઇ રહ્યો છે. આથી કપરાડા બેઠકની ચૂંટણી ભાજપ અને કોંગ્રેસ માટે ખરાખરીનો જંગ સાબિત થઇ રહ્યો છે.