ગુજરાતમાં હાલ કોરોના વાયરસની મહામારી જોવા મળી રહી છે, ત્યારે બીજી તરફ હાલ રાજ્યમાં ચોમાસુ સક્રિય જોવા મળી રહ્યું છે. ત્યારે રાજ્યમાં સાર્વત્રિક વરસાદના કારણે વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે આગામી પેટાચૂંટણીની તૈયારીઓને લઇને રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો છે. ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવતી કાલ 19મીથી 4 દિવસની સૌરાષ્ટ્ર મુલાકાત લઇ રહ્યાં છે. ત્યારે રાજ્યની આગામી વિધાનસભાની પેટાચૂંટણીને ધ્યાનમાં લઇને આ પ્રવાસ થઇ રહ્યો હોવાની અટકળો લગાવામાં આવી રહી છે.
સી.આર.પાટીલ 4 દિવસનો સૌરાષ્ટ્ર પ્રવાસ કરશે
19થી 22 ઓગસ્ટ સુધી સી આર પાટીલ સૌરાષ્ટ્રના પ્રવાસે
19 ઓગસ્ટે સોમનાથથી સૌરાષ્ટ્ર પ્રવાસની શરૂઆત
હાલ વરસાદના કારણે રાજ્યના વાતાવરણમાં ઠંડક જોવા મળી રહી છે ત્યારે રાજકારણમાં ગરમાવો જોવા મળી રહ્યો તેવું લાગી રહ્યું છે. ભાજપ દ્વારા આગામી વિધાનસભાની પેટાચૂંટણીને લઇને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી હોય તેવું દેખાઇ રહ્યું છે.
ભાજપના પ્રદેશ પ્રમુખ સી. આર. પાટીલ આવતીકાલથી 4 દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે છે. પાટીલ 19 ઓગસ્ટે સોમનાથ મહાદેવના દર્શન કરી પ્રવાસની શરૂઆત કરશે. આમ ભાજપ પ્રદેશ પ્રમુખ 5 જેટલા ધાર્મિક સ્થળોની મુલાકાત લેશે.
સી. આર. પાટિલ સૌરાષ્ટ્રમાં ખોડલધામ, સિદસર, ઉમિયાધામની પણ મુલાકાત લેશે. આ સાથે પ્રદેશ પ્રમુખ 20 ઓગસ્ટે જૂનાગઢ જિલ્લા ભાજપ સંગઠનની બેઠકમાં હાજર રહે તેવી શક્યતા છે. આ સાથે રાજકોટ ખાતે સી. આર. પાટીલનું ભવ્ય સ્વાગત કરવામાં આવશે.
આ સાથે ભાજપ પ્રદેશ પ્રમુખ 21 ઓગસ્ટે રાજકોટના હોદ્દેદારો સાથે બેઠક કરશે. જ્યારે 22મી ઓગસ્ટના રોજ ચોટીલા, ઝાંઝરકા, સવઘણ મંદિરે દર્શન કરશે.