શુભ મુર્હુતમાં વાહન ખરીદી કરવાની લોકો ઉમટી પડ્યા છે. રાજ્યભરમાં આજે વણજોયેલા મુર્હૂત તરીકે દશેરા નિમિત્તે વાહન પૂજાની સાથે સાથે લોકોએ વાહન ખરીદવાનું પણ પસંદ કરે છે. સુરતમાં 400 કારના એડવાન્સ બુકિંગ થયા હતા જેની ડિલિવરી આજે લેવમાં આવશે તો અમદાવાદમાં પણ ટુવ્હીલરથી લઈને તમામ વાહનોની ખરીદીમાં હોડ જામી છે.
સુરતમાં 400 મારૂતીનું એડવાન્સ બુકિંગ
અમદાવાદમાં ટુવ્હીલર છોડાવવા મોટર એજન્સીઓની ઓફિસ પર ભીડ
ગાંધીનગરમાં અશ્વપૂજાનું આયોજન
રાજ્યભરમાં આજે દશેરાને નિમિત્તે વાહન વેચાણમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. દશેરા એ શસ્ત્રપૂજા અને વાહનપૂજાનો દિવસ છે. આજે બળદ, ઘોડા, ઉંટ વગરે જે વાહન વ્યવહારમાં વપરાતા પશુઓ અને વાહનોની પણ પૂજા કરવામાં આવે છે વળી નવા વાહનોની ખરીદી માટે પણ ખરીદારો આ જ દિવસ પસંદ કરતા હોય છે. જો કે ગત વર્ષ કરતા આ વર્ષે વાહનોનું વેચાણ ઘટ્યુ છે.
અમદાવાદમાં મોટર એજન્સીઓની ઓફિસ ઉપર ભીડ
અમદાવાદમાં દશેરા નિમિત્તે વાહનની ખરીદી કરવામાં આવી રહી છે. લોકો શુભ મુર્હૂત પર કાર લેવા પહોંચ્યા છે. વાહન ખરીદી માટે આજનો દિવસ શુભ માનવામાં આવે છે. ત્યારે કટારિયા મોટર્સ ખાતે ગ્રાહકો વાહન ખરીદવા ઉમટ્યા છે.
આજે ડિલિવરી માટે મારૂતિનું 400 કારનું એડવાન્સ બુકિંગ
સુરતમાં દશેરા નિમિત્તે કારનું વેચાણ થઇ રહ્યું છે. શુભ મુર્હૂતમાં ખરીદી કરવાની લોકોમાં હોડ લાગી છે. જો કે ગતવર્ષની સરખામણીએ કારના વેચાણમાં ઘટાડો થયો છે. ગત વર્ષ કરતા આ વર્ષે 60 ટકા જેટલી ગાડીઓનું વેચાણ થયું છે. જો કે શોરૂમ માલિકોનું કહેવું છે કે ગત વર્ષ ઓછું વેચાણ છે પરંતુ મંદી છે તેવું ન કહી શકાય.
ગાંધીનગરમાં અશ્વપૂજાનું આયોજન
દશેરા નિમિત્તે ગાંધીનગરના પેથાપુર ખાતે અશ્વપૂજાનું આયોજન કરાયું હતું. અશ્વપાલક મિત્ર મંડળ દ્વારા અશ્વપૂજાનું આયોજ કરાયું. દશેરાના દિવસે શસ્ત્રપૂજા સાથે અશ્વપૂજાનું પણ મહત્ત્વ છે. ત્યારે અશ્વપૂજા સાથે અશ્વ રમતનું પણ આયોજન કરાયું હતું.