GST પરિષદે શનિવારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સનો દર ઘટાડીને 5 ટકા કરવાનો નિર્ણય લીધો છે. આ નિર્ણય 1 ઓગસ્ટથી અમલમાં આવશે. પરિષદની 36મી બેઠક બાદ એક સત્તાવાર નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે, તેણે ઇલેક્ટ્રિક વાહનોના ચાર્જર પર વસ્તુ અને સેવા કર (જીએસટી) 18 ટકાથી ઘટાડીને 5 ટકા કર્યો છે.
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં બેઠક વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા કરવામાં આવી. GST કાઉન્સિલમાં ઇલેક્ટ્રિક વાહનો પરનો ટેક્સ 12 ટકાથી ઘટાડી 5 ટકા કરવામાં આવ્યો છે. જેમા ઇલેક્ટ્રિક પરિષદે સ્થાનીય અધિકારીઓ દ્વારા ઇલેક્ટ્રિક બસ ભાડે લેવા પર જીએસટીમાં છુટ આપવાની પણ મંજુરી આપી. નાણામંત્રી નિર્મલા સીતારમણના સંસદમાં વ્યસ્ત રહેવાને કારણે ગુરુવારે યોજાનારી જીએસટી પરિષદની બેઠકને સ્થગિત કરી દેવામાં આવી હતી.
બીજી તરફ વાહન ઓટો કોમ્પોનેન્ટના મેન્યૂફેક્ચરીંગના ઓલ ઇન્ડિયા એસોસિએશને બુધવારે વાહન ક્ષેત્ર માટે માલ અને સેવાકર (જીએસટી)ના દર એક સમાન 18 ટકા કરવાનો અનુરોધ કર્યો છે. જેથી ઓટો ઇન્ડસ્ટ્રીની માંગમાં વધારો કરી શકાય, જેથી લગભગ 10 લાખ નોકરીઓ બચાવવામાં મદદ મળી શકે. હાલ ઓટો ઇન્ડસ્ટ્રીમાં મંદીને કારણે નોકરીઓ પર ખતરો તોળાઇ રહ્યો છે.
ઓટો કોમ્પોનેન્ટ ઉદ્યોગ લગભગ 50 લાખ લોકોને રોજગાર ઉપલબ્ધ કરાવે છે. એસોસિએશને બેટરી ચાલિત વાહનોની નીતિને સ્પષ્ટ કરવા માટે કહ્યું છે. ઓટોમોટિવ કમ્પોનેન્ટ મેન્યુફેક્ચર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયાના અધ્યક્ષ રામ વેંકટરમાનીએ પત્રકાર સાથેની વાતચીતમાં કહ્યું કે, વાહન ઉદ્યોગ અભૂતપૂર્વ મંદીનો સામનો કરી રહ્યો છે.
તમામ ક્ષેત્રમાં વાહનોનું વેચાણ ઘણા મહીનાઓથી ભારે દબાણનો સામનો કરી રહ્યો છે. એમણે કહ્યું કે વાહન ઓટો કમ્પોનેન્ટ ઉદ્યોગનો વિકાસ પૂર્ણ રીતે ઓટો ઇન્ડસ્ટ્રીઝ પર નિર્ભર કરે છે. વર્તમાન સ્થિતિમાં વાહન ઉત્પાદનમાં 15થી 20 ટકાનો ઘટાડો થયો છે. જેથી ઓટો કોમ્પોનેન્ટ ઉદ્યોગ સામે સંકટ ઉભું થયું છે.
બજેટ બાદ પહેલી જીએસટી મીટિંગ
નાણામંત્રી નિર્મલા સીતારમણની અધ્યક્ષતામાં આ પહેલી જીએસટી પરિષદની બીજી બેઠક છે. સરકારે ઇલેક્ટ્રિક વાહનો પરના ટેક્સ રેટમાં ઘટાડા ઉપરાંત પાર્કિંગ ફ્રી અને ટોલ ટેક્સ ન લેવા પર કામ કરી રહી છે. 5 જુલાઇએ રજૂ કરવામાં આવેલ બજેટમાં નાણામંત્રી નિર્મલા સીતારમણે ઇ-વ્હીકલ ખરીદી પર 1.5 લાખ રૂપિયાની એક્સટ્રા છૂટ આપવાનું એલાન કર્યું હતું.