ફોન પર વાત થઈ અજીત પટેલે કહ્યું છે કે તમને હટાવાની સત્તા મારી નથી-બાવળિયા, મેં કોઈને ફોન કર્યો નથી-અજિત પટેલ
કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પટેલનું નિવેદન
કુંવરજી બાવરિયા સાથે મારે કોઈ સમાધાન થયું નથી-અજિત પટેલ
અખિલ ભારતીય કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ કુંવરજી બાવળિયાને સુરત ખાતે અખિલ ભારતીય કોળી સમાજ ના 50 વર્ષ પૂર્ણ થતાં હોવાથી ગોલ્ડન જ્યુબિલી વર્ષના ઉજવણી પ્રસંગે અજિત પટેલ દ્રારા કાર્યકારણીની બેઠકમાં કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજના રાષ્ટ્રીય અધ્યક્ષ પદ પર થી સસ્પેન્ડ કર્યાનું જાહેર કરતા કોળી સમાજ વચ્ચેનો જૂથવાદ ખૂલીને બહાર આવી ગયો છે. અજીત પટેલનું જુથ અને બાવળિયાનું જુથ સામસામે આરોપ પ્રત્યારોપ કરી રહ્યું છે.
અજીત પટેલે કહ્યું છે કે તમને હટાવાની સત્તા મારી નથી-બાવળિયા
અખિલ ભારતીય કોળી સમાજમાંથી ધારસભ્ય કુંવરજી બાવળીયાને પ્રમુખ પદેથી બરતરફ કરવાના મામલે કુંવરજી બાવળિયાએ નિવેદન આપતા કહ્યું કે મારે અજીત પટેલ સાથે વાત થઈ છે.તેમણે તેમની ભૂલ સ્વિકારી છે. મને હટાવવાની સત્તા અજીત પટેલ પાસે નથી.અને ભરત બોઘરા સાથે પણ કોઈ પ્રકારનો ખટરાગ નથી.ત્યારે બાવળિયાના નિવેદન પર અજીત પટેલે પલટવાર કરતા કહ્યું કે બાવળિયા ખોટું બોલી રહ્યાં છે..અમારે કોઈ પ્રકારનું સમાધાન થયું નથી.મેં કોઈ ભૂલ કરી નથી કે સ્વિકારી નથી.
મારા પર કોઈનો ફોન નથી અને મેં કોઈને ફોન કર્યો નથી-અજિત પટેલ
બાવળિયાના નિવેદન બાદ કોળી સમાજ ના રાષ્ટ્રીય અધ્યક્ષ અજિત પટેલનું નિવેદન સામે આવ્યું છે. કુંવરજી બાવરિયા સાથે મારે કોઈ સમાધાન થયું નથી તેવી વાત કરતાં ખુલાસો કર્યો છે કે મારા પર કોઈનો ફોન નથી અને મેં કોઈને ફોન કર્યો નથી. 18 રાજ્યોમાંથી આવેલા આગેવાનો એ ઠરાવ કર્યો હતો. મેં તેમને સસ્પેન્ડ નથી કર્યા પણ જનરલ મિટિંગમાં આગેવાનોએ સર્વાનુમતે સસ્પેન્ડ કર્યા હતા. અમારું જે સંગઠન છે કાયદેસર છે આ તરફ કુંવરજી બાવળીયાએ પેરેલલ સંગઠન ઉભું કર્યું એમણે ભાગલા પાડ્યા છે. કોર્ટના જજમેન્ટની રાહ જુઓ, કોણ સાચા પ્રમુખ છે એ ખબર પડી જશે.
બાવળિયા અને કોળી સમાજનો વિવાદ શું છે?
બાવળિયા અગાઉ અખિલ ભારતીય કોળી સમાજના પ્રમુખ હતા
અજમેરમાં મળેલી કોળી સમાજની બેઠકમાં વિવાદ થયો હતો
અજમેરની બેઠકમાં બાવળિયાને પ્રમુખ પદેથી હટાવાયા હતા
કુંવરજી બાવળિયા પોતે પ્રમુખ હોવાનો દાવો કરતા હતા
વર્તમાન પ્રમુખ અજીત પટેલ અને બાવળિયા વચ્ચે વિવાદ ચાલતો હતો
કેટલાક સમયથી બાવળિયા, અજીત પટેલ, દેવજી ફતેપરા વચ્ચે વિવાદ હતો
અખિલ ભારતીય કોળી સમાજની સુરત બેઠક મુદ્દે પણ વિવાદ થયો હતો
બાવળિયાના સમર્થકોએ આ બેઠકનો બહિષ્કાર કર્યો હતો
ગઈકાલે મીડિયા સમક્ષ બાવળિયા સંમેલન વિશે બોલ્યા હતા
અંતે કુંવરજી બાવળિયાને અખિલ ભારતીય કોળી સમાજે સસ્પેન્ડ કર્યા
આગામી દિવસોમાં બોટાદમાં કોળી સમાજનુ મહાસંમેલન બોલાવાશે
બોટાદ જિલ્લા કોળી સમાજના મુખ્ય આગેવાનોની હાજરીમાં કુંવરજી બાવળિયાના સમર્થકોની બેઠક મળી હતી. આ બેઠક કોળી સમાજની બોર્ડિંગ ખાતે મળી હતી. જેમાં ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કાર્યકર્તા પણ જોડાયા હતા. આ દરમિયાન તેમણે આ બેઠકને સામાજિક ગણાવી હતી. બેઠકમાં બાવળીયા તુમ આગે બઢોના નારા પણ લાગ્યા હતા. સાથે બાલળિયા જૂથે નિવેદન પણ આપ્યું છે. જેમાં તેમણે કહ્યું કે, કુંવરજી બાવળિયાને ગેર-બંધારણીય રીતે સસ્પેન્ડ કરવામાં આવ્યા છે. જેથી આગામી દિવસોમાં બોટાદમાં કોળી સમાજનું મહાસંમેલન બોલાવવામાં આવશે.
બાવળિયાના સસ્પેન્શનથી વિવાદ વકરશે !
અખિલ ભારતીય કોળી સમાજ કોળી સમાજની મોટી સંસ્થા છે
દેશના 17 રાજ્ય કોળી સંસ્થા સાથે જોડાયેલા છે
ભાજપ, કોંગ્રેસ સહિતના રાજકીય નેતા સંગઠન સાથે સંકળાયેલા છે
બાવળિયા સસ્પેન્ડ થતા કોળી સમાજના નેતા વચ્ચે ઘર્ષણ વધશે
કોળી સમાજનો એક મોટો સમૂહ બાવળિયાની સામે ઉભો થશે
બાવળિયા પણ પોતાને મજબૂત કરવા સામે બાંયો ચઢાવી શકે છે
આ રીતે ચૂંટણી પહેલા કોળી સમાજમાં વિખવાદ પેદા થઈ શકે
રાજકીય હિત માટે નેતાઓ સમાજને કેમ વચ્ચે લાવે છે?
સમાજનું મજબૂત સંગઠનાત્મક માળખું હંમેશા છેવાડાના વ્યક્તિનો વિકાસ કરે છે.અને માળખાના પાયા સાથે જોડાયેલી છે સમાજની રાજકીય વર્ચસ્વ ધરાવતી મંશા. કેટલાક નેતાઓનો ઉદય આંદોલનથી થાય છે તો કેટલાકનો સમાજના વજન અને વર્ચસ્વથી.ગુજરાતમાં પણ ઘણાખરા નેતાઓ છે જે સમાજના જ ટેકે ઉપર આવ્યા હોય પરંતુ જ્યારે સમાજને તેનું વળતર ચૂકવવાનું આવે ત્યારે પીઠ દેખાડતા વાર નથી કરતા.ગુજરાતમાં આજે પણ એવા નેતાઓ છે સમાજને આગળ ધરીને પોતાના રાજકીય રોટલા શેકે છે.એમાં કોઈ બે મત નથી કે સંયુક્ત રીતે સંગઠીત થયેલો સમાજ સક્રિય રાજકારણમાં મોટો પ્રભાવ પાડે છે.પરંતુ સમાજના નામે થતું રાજકારણ ક્યાંક ને ક્યાંક સમાજને પણ પાછલી પાટલીએ ધકેલે છે.તેના ઉદાહરણો આપણી સમક્ષ છે જ.ત્યારે રાજકારણમાં સમાજને વચ્ચે લાવવો કેટલો યોગ્ય છે.?.સમાજમાંથી ઉભા થયેલા નેતાઓ સમાજનું ઋણ કેમ નથી ચૂકવતા?.શું રાજકીય હરીફાઈ કરવામાં નેતાઓ સમાજના હિતને સાઈડ ઉપર મુકી રહ્યા છે ?