આરોપી ફેનિલના વકીલ ઝમીર શેખે કહ્યું આ ચુકાદાથી સંતુષ્ટ નથી, સુરત સેશન્સ કોર્ટના ફાંસીના ચુકાદાને અમે હાઈકોર્ટમાં પડકારીશું
સુરતઃ ગ્રીષ્મા હત્યા કેસમાં ફેનિલને ફાંસીની સજા
આરોપી ફેનિલના વકીલ ઝમીર શેખનું નિવેદન
આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથીઃ ઝમીર શેખ
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવામાં આવી છે. આ કેસના ચુકાદાને ગ્રીષ્માના પરિવાર સહિત લોકોએ પણ આવકાર્યો છે. ત્યારે આરોપી ફેનિલ ગોયાણીના વકીલ ઝમીર શેખનું નિવેદન સામે આવ્યું છે. તેઓ કહ્યું કે કોર્ટના આ ચુકાદાથી અમે સંતુષ્ટ નથી.અમે હાઈકોર્ટમાં અપીલ કરીશું. કોર્ટે ચુકાદામાં અમે કરેલી કેટલીક રજૂઆતો-પુરાવાઓ ધ્યાને ન લીધા હોવાની વાત કહેતા કહ્યું હતું કે ફેનિલ ઉપર લોકોએ પથ્થરમારો કર્યો હતો તે વાતનો ક્યાંય ઉલ્લેખ નથી. સાક્ષીઓએ 164મા નિવેદનમાં આ વાતનો ઉલ્લેખ કર્યો છે. અમે આ કેસના ચુકાદાને હવે હાઈકોર્ટમાં પડકારીશું.
આજે ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂર્ણ થતાં સંતોષ અનુભવું છું.- હર્ષ સંઘવી
સુરત સેશન્સ કોર્ટે આજે ગ્રીષ્મા હત્યા કેસના મામલે આરોપી ફેનિલ ગોયાણીને ફાંસીની સજા ફટકારી છે. ત્યારે રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ પત્રકાર પરિષદ સંબોધન કર્યું હતું.જ્યાં તેઓએ પ્રથમ ગ્રીષ્માને શ્રદ્ધાંજલિ પાઠવી હતી. અને કહ્યું હતું કે, આજે મે ગ્રીષ્માના પરિવારને આપેલું વચન પૂર્ણ થયું છે. કાલે હું મારા તમામ કાર્યક્રમો રદ્દ કરીને ગ્રીષ્માના પરિવારજનોને મળીને તેમને સાંત્વના પાઠવવા જવાનું છું. કોર્ટે ગ્રીષ્માના હત્યારાને ફાંસીની સજા સંભળાવી છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભૂપેન્દ્ર સરકાર જે કહે છે તે વચન પૂર્ણ કરે છે. માતા-બહેન,દિકરીઓ માટે ગુજરાત સુરક્ષિત રાજ્ય છે.
અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે.- હર્ષ સંઘવી
હર્ષ સંઘવીએ વધુમાં જણાવ્યું હતું કે, ગ્રીષ્મા હત્યા કેસમાં લોકોની અપેક્ષા હતી કે, પીડિતાના પરિવારને ન્યાય મળે અને આરોપીને ઝડપથી સજા મળે, તેમણે કહ્યું કે, પોલીસે પણ આ મામલે પોતાની તાપાસ ઝડપથી પૂર્ણ કરી છે. અને પીડિતા અને તેના પિરવારજનો ન્યાય અપાવ્યો છે. હર્ષસંઘવીએ વધુમાં ઉમેર્યું હતું કે, આજે વ્હાલી ગ્રીષ્માના પરિવારને આપેલો વાયદો પૂર્ણ થતાં હું સંતોષ અનુભવું છું. અપરાધિયોં સામેંની અમારી લડાઈ અવિરત છે. તેમણે જણાવ્યું હતું કે, મે ગ્રીષ્માના પરિવારજનો જણાવ્યું હતું કે, તમારા ઘરમાં શોક પુરો થશે તે પહેલા ગ્રીષ્માના હત્યારાને કડકમાં કડક સજા અપાવીશ.
ઉચ્ચ પોલીસ અધિકારીઓ સતત એક એક કલાકનું અપડેટ લેતા હતા
ગ્રીષ્મા હત્યા કેસમાં આરોપી ફેનિલ ગોયાણીને કોર્ટ દ્વારા ફાંસીની સજા આપવામાં આવી છે. સમગ્ર કેસમાં પોલીસ તપાસની વિગતવાર માહિતી રેન્જ IG રાજકુમાર પાંડિયન દ્વારા માહિતી આપવામાં આવી હતી. 12 ફેબ્રુઆરીના રોજ ફેનિલ દ્વારા ગ્રીષ્માની હત્યા કરવામાં આવી હતી. પોલીસે 15 ફેબ્રુઆરીના રોજ આરોપીની અટકાયત કરવામાં આવી હતી. પોલીસ દ્વારા 21 ફેબ્રુઆરીના રોજ કોર્ટમાં ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. પોલીસે આ સમગ્ર કેસમાં ડિટેઇલ ઇન્વેસ્ટીગેશન કર્યું હતું. સીટની રચના પણ કરવામાં આવી હતી. પોલીસે DNA, ફિંગરપ્રિન્ટ, વોઇસ સ્પેક્ટોગ્રાફી અને મોબાઇલ વીડિયોની તપાસ કરાવી હતી. ગુન્હાની શરૂઆતથી પોલીસે સતત કામગીરી કરી આજે આરોપીને ફાંસીની સજા સુધી પહોંચાડ્યો હતો
કોર્ટે રેરેસ્ટ ઓફ ધ રેર કેસ ગણી ફાંસીની સજા ફટકારી
સુરતના ચકચારી એવા ગ્રીષ્મા હત્યા કેસમાં કોર્ટ દ્વારા આરોપી ફેનિલને ફાંસીની સજા ફટકારવાનો હુકમ કર્યો છે. છેલ્લા કેટલાંય દિવસોથી ચાલતી આ ટ્રાયલમાં કોર્ટ દ્વારા 105 જેટલા સાક્ષીઓની જુબાની લેવામાં આવી હતી. 105 સાક્ષીઓની જુબાની સાથે આરોપી દ્વારા સરાજાહેર હત્યા કરતા પહેલા અન્ય બે વ્યક્તિઓને પણ ઇજા પહોંચાડવામાં આવી હતી. આ ઉપરાંત કોર્ટે ચુકાદમાં જાહેરમાં લોકોમાં ડર પેદા કરવાનો પણ પ્રયાસ કરાયો હોવાથી કોર્ટે આ કેસને રેરેસ્ટ ઓફ ધ રેર કેસ તરીકે લીધો હતો. આ કેસમાં કોર્ટે કેટલીક મહત્વની વસ્તુઓ ટાંકી હોવાથી ફાંસીની સજા સંભળાવી છે. ગ્રીષ્મા વેકરિયા કેસમાં આરોપીની ધરપકડ બાદ માત્ર પાંચ દિવસમાં પોલીસે ચાર્જશીટ દાખલ કરી હતી. કોર્ટ દ્વારા પણ આ કેસમાં રોજીંદી ટ્રાયલ કરવામાં આવી હતી. કોર્ટ દ્વારા બંને પક્ષોની દલીલો સાંભળ્યા બાદ આશરે 500 પાનાંનો ચુકાદો આપવામાં આવ્યો છે.
સરકાર પક્ષે શું કહ્યું હતું?
અમારો કેસ માત્ર વીડિયો આધારીત નથી
આરોપીની ગુનાહિત માનસિકતા હતી અને હત્યા ગણતરીપૂર્વક થઈ છે
આરોપીએ ફ્લિપકાર્ટના માધ્યમથી પહેલા ઓનલાઈન ચપ્પુ ખરીદ્યું
ઓર્ડર કેન્સલ થતા મોલમાંથી ચપ્પુ ખરીદ્યું
આરોપીએ હત્યા કરતા પહેલા રેકી કરી હતી
ગ્રીષ્માની મિત્રને આરોપીએ કહ્યું હતું કે તે કંઈક મોટુ કરવાનો છે
બનાવ પહેલા તેણે ક્રિષ્ના સાથે ઈન્સ્ટાગ્રામ ઉપર વાત કરી હતી
દરેક વાલિયો ડાકુ વાલ્મિકી બની શકતો નથી
ભય વિના પ્રિત ન થાય
માત્ર ગ્રીષ્મા જ નહીં તેના કાકા અને ભાઈની હત્યાનો પણ પ્રયાસ થયો