ગાંધીનગર: GPSC પરીક્ષામાં ગેરરીતિની ઘટના સામે આવે છે. ત્યારે હવે GPSC દ્વારા ગેરરીતિ કરનાર લોકો સામે કાર્યવાહી કરવાના આદેશ આપ્યા છે. GPSCના આદેશ બાદ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ કરનાર લોકો સામે કડક પગલા લેવામાં આવશે.
જો કોઈ પણ વિદ્યાર્થી GPSCની પરીક્ષામાં ગેરરીતિ કરતા પકડાય તો સરકારી નોકરીથી હાથ ધોવા પડશે. ગેરરીતિ કરનાર વિદ્યાર્થી ભવિષ્યમાં ક્યારે પણ સરકારી નોકરી માટે લાયક નહી ગણાય.
#GPSC પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે લેવાશે આકરા પગલા સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ કરનાર સામે કડક પગલા લેવાશે ગેરરીતિ કરતા પકડાય તો સરકારી નોકરીથી ધોવા પડશે હાથ
ભવિષ્યમાં ક્યારે સરકારી નોકરી માટે લાયક નહી ગણાય ઉમેદવાર pic.twitter.com/ZcUOZZG6Fl
આયોગ દ્વારા લેવાયેલ આ નિર્ણયથી એક વખત સ્પર્ધાત્મક પરીક્ષામાં ગેરરીતિ કરનાર ઉમેદવાર માટે સરકારી નોકરી માટેના દરવાજા કાયમ માટે બંધ થઇ જશે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ GPSC પરીક્ષામાં ગેરરીતિની અનેક ઘટનાઓ બની છે ત્યારે તાજેતરમાં વિભાગ દ્વારા લેવામાં આવેલ નિર્ણય મુજબ ગેરરીતિ આચરનાર વિદ્યાર્થી કાયમ માટે પરીક્ષા આપી શકશે નહીં.