કોરોના મહામારીમાં માર્ચ 2020માં મૂકાયો હતો પ્રતિબંધ
નાગરિકો હવે વિશ્વના કોઈ પણ દેશમાં પ્રવાસ કરી શકશે.
દેશમાં કોરોના ઘટતા હવે સરકારે સૌથી મોટો પ્રતિબંધ હટાવી દીધો છે. કેન્દ્ર સરકારે 156 દેશોના નાગરિકો માટે 5 વર્ષના ઈ ટૂરિસ્ટ વીઝા ચાલુ કરી દીધા છે.કેન્દ્ર દ્વારા આ પ્રતિબંધ હટાવી લેવામાં આવતા હવેથી નાગરિકો 156 દેશોની મુલાકાતે જઈ શકશે અને તેઓ ઈ ટુરિસ્ટ વીઝા પણ મેળવી શકશે.
Govt restores regular (paper) tourist visa with 5-year validity issued to nationals of all countries: officials
અમેરિકા અને જાપાનના નાગરિકો માટે 10 વર્ષના વીઝા શરુ
કેન્દ્ર સરકારે અમેરિકા અને જાપાનના નાગરિકોને પણ 10 વર્ષના લાંબા ગાળાના રેગ્યુલર પ્રવાસી વીઝા આપવાની પણ જાહેરાત કરી છે.નાગરિકોને આ જાહેરાતથી મોટી મદદ મળશે.
Long duration (10 years) regular tourist visa restored for USA, Japan nationals: officials
માર્ચ 2020માં કોરોના મહામારીમાં સરકારે 156 દેશોના વીઝા પર મૂક્યો હતો પ્રતિબંધ
ઉલ્લેખનીય છે કે માર્ચ 2020માં કોરોના મહામારીમાં કેન્દ્ર સરકારે 156 દેશોના નાગરિકો પર પ્રતિબંધ મૂકી દીધો હતો.
27 માર્ચથી રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ થશે
કેન્દ્ર સરકારે 27 માર્ચથી રેગ્યુલર ઈન્ટરનેશનલ ફ્લાઈટ શરુ કરવાની પણ જાહેરાત કરી દીધી છે. કેન્દ્રની આ જાહેરાત બાદ 27 માર્ચથી તમામ ઈન્ટરનેશનલ ફ્લાઈટ પહેલાની જેમ રાબેતા મુજબ ભારતની અંદર અને બહાર આવરોજાવરો કરી શકશે.