ગત વર્ષ કોરોનાના સંક્રમણને રોકવા માટે લગાવવામાં આવેલા લૉકડાઉન દરમિયાન કેટલીક કંપનીઓએ વર્ક ફ્રોમ હોમ કરી દીધું હતું. હવે કોરોનાની બીજી લહેરને લઇને સરકાર વર્ક ફ્રોમ હોમને સત્તાવાર રૂપ આપવાની તૈયારી કરી રહી છે.
SEZમાં કામ કરી રહેલી આઈટી કંપનીઓના કર્મચારીઓ માટે વ્યવસ્થા
આ મહિનાના અંત સુધીમાં આવશે નિર્ણય
આ હેઠળ સ્પેશિયલ ઇકોનૉમિક ઝોન(SEZ)માં કામ કરી રહેલી આઈટી કંપનીઓના કર્મચારીઓ માટે જલ્દીથી પરમાનેન્ટ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવામાં આવી શકે છે. વેપારીઓ અને ઉદ્યોગ મંત્રાલય આ પ્રકારના એક પ્રસ્તાવ પર વિચાર કરી રહ્યું છે અને આ અંગે આ મહિનાના અંતમાં નિર્ણય લઇ શકાય છે.
SEZમાં કામ કરી રહેલી આઈટી કંપનીઓના કર્મચારીઓ માટે થઇ શકે છે વ્યવસ્થા
ઇકોનૉમિક ટાઇમ્સમાં છપાયેલા એક સમાચાર અનુસાર, ભારતમાં આઈટી ઉદ્યોગનો વેપાર 191 અરબ ડૉલરનો છે. આઈટી ઉદ્યોગની મુખ્ય સંસ્થા નૈસકૉમે સરકાર પાસે મંજૂરી માંગી છે કે સેઝમાં કામ કરી રહેલી આઈટી કંપનીઓમાં પરમાનેન્ટ વર્ક ફ્રોમ હોમની વ્યવસ્થા કરવામાં આવે.
આ મહિનાના અંત સુધીમાં આવશે નિર્ણય
દેશમાં કોરોનાની બીજી લહેરથી આઈટી કંપનીઓ અનેક પડકારોનો સામનો કરી રહી છે. એક અધિકારીએ આ અંગે જણાવ્યું કે, સ્થાયી રીતે ઘરેથી કામ કરવાની મંજૂરી આપવા અંગે વાતચીત એડવાન્સ સ્ટેજમાં છે અને આ અંગે આ મહિનાના અંતમાં કોઇ નિર્ણય લેવામાં આવી શકે છે.
ભારતથી આઈટી સર્વિસ એક્સપોર્ટમાં સેઝની ભાગીદારી અંદાજિત 60 ટકા છે. આ પહેલા સરકારે OSP માટે બનાવવામાં આવેલા નિયમોના હિસાબથી તેમાં છૂટ આપવાની જાહેરાત કરી હતી. ડિપાર્ટમેન્ટ ઑફ ટેલીકોમની ગાઇડલાઇન હેઠળ અન્ય સેવા આપનારી કંપનીઓ માટે નિયમ સરળ કરવામાં આવ્યા હતા. સેઝમાં કામકાજ કરી રહેલી કંપનીઓ હજુ પણ આ મામલે અનિશ્ચિતતાનો સામનો કરી રહી છે.