ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે ન્યૂનતમ શૈક્ષણિક લાયકાતની અનિવાર્ય શરતને દૂર કરી દેવામાં આવે છે.
સડક પરિવહન તથા રાજમાર્ગ મંત્રાલયના તરફથી આ શરત હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે અરજી કરનારા ઓછામાં ઓછો ધોરણ આઠ પાસ કરનાર હોવો જરૂરી છે. જોકે આ સંબંધિત એક નોટિફિકેશન જારી કરવામાં આવ્યુ છે. તમને જણાવી દઇએ કે, કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989 ના નિયમ 8 હેઠળ ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટે અરજી કરનાર ઓછામાં ઓછો 8 ધોરણ પાસ હોવુ જરૂરી છે.
સડક પરિવહન મંત્રાલયે આ નિયમમાં બદલાવને લઇને જૂનમાં તમામ હિતધારકો પાસેથી સલાહ માંગી હતી. હિતધારકોની સલાહ પછી મંત્રાલયે આ નિયમ હટાવી દીધો હતો. મંત્રાલય દ્વારા નોટિફિકેશનમાં કહેવામાં આવ્યુ છે કે 8માં સંશોધનની મદદથી કેન્દ્રીય મોટર વાહન નિયમ 1989ના નિયમ 8 ને હટાવી દેવામાં આવ્યો છે. આ નવા નિયમ ગજટમાં પ્રકાશિત થય પછી લાગૂ કરવામાં આવશે.
હરિયાણા સરકારે કરી હતી શરત હટાવવા માટે માંગ:
આ વર્ષે જૂનમાંકેન્દ્રીય પરિવહન મંત્રી નિતીન ગડકરીએ હરિયાણાના મુખ્યમંત્રી મનોહર લાલ ખટ્ટરે અરજી પર ડ્રાઇવિંગ લાયસન્સ બનાવવા માટેની અનિવાર્ય શરત આઠમા ધોરણ પાસને દૂર કરવા માટે જાહેરાત કરી હતી, તે સમયે નીતિન ગડકરીએ કહ્યુ હતુ કે, આ બદલાવ પછી દેશમાં 22 લાખ ડ્રાઇવરોને ઉણપને દૂર કરવામાં આવશે અને મોટી સંખ્યમાં ઓછા ભણેલા ગણેલા યુવાનો રોજગારી મળશે. જોકે મંત્રાલયના આ નિયમ ખત્મ થયા પછી ડ્રાઇવરોને ટ્રેનિંગ આપવા પર જોર કરવામાં આવ્યુ હતુ.