ભારતના પ્રજાસત્તાક દિવસે જ કાયદો વ્યવસ્થાના ધજાગરા ઊડ્યાં છે ત્યારે હવે ગૃહમંત્રાલય અને પોલીસ એક્શનમાં આવી છે.
ગણતંત્ર દિવસ પર ટોળાઓએ દિલ્હી માથે લીધું
એક્શનમાં આવી સરકાર અત્યાર સુધીમાં 15 FIR દાખલ
ટ્રેક્ટર પરેડના કારણે કેટલાય પોલીસના જવાનો ઇજાગ્રસ્ત, 2ની હાલત ગંભીર
CCYV ફૂટેજથી લોકોની ઓળખ કરવાના કામમાં લાગી પોલીસ
અત્યાર સુધીની સમગ્ર અપડેટ્સ :
ગૃહમંત્રી અમિત શાહે આજે ફરીથી ઉચ્ચસ્તરીય બેઠક બોલાવી છે જેમાં ગૃહ સચિવ અને IBના ડાયરેક્ટર સામેલ થશે. સૂત્રો દ્વારા મળતી માહિતી અનુસાર અમિત શાહ આજે વડાપ્રધાન મોદી સાથે પણ મુલાકાત કરી શકે છે.
મંગળવારે થયેલી બેઠકમાં પેરામિલીટરી ફોર્સની વધુ 15 કંપનીઓ તૈનાત કરી દેવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
હરિયાણા કેટલાક જિલ્લાઓમાં આજે સાંજે પાંચ વાગ્યા સુધી ઈન્ટરનેટ સેવા બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
દિલ્હીમાં થયેલ હિંસામાં પોલીસે અત્યાર સુધીમાં કુલ 15 FIR દાખલ કરી દીધી છે અને પોલીસે કહ્યું છે કે જેમ જેમ બીજા મામલા સામે આવશે અને ફરિયાદ મળશે તેમ વધારે ફરિયાદો દાખલ કરવામાં આવશે.
દિલ્હીમાં તાંડવ કરનારાઓ વિરુદ્ધ દિલ્હી પોલીસે તપાસ શરૂ કરી દીધી છે અને આવા ઉગ્રવાદીઓની શોધ કરવામાં આવી રહી છે. ગેંગસ્ટર લક્ખા સિંહનું નામ પણ સામે આવી રહ્યું છે અને આરોપ છે કે આ બબાલમાં તેની ભૂમિકા હતી, આ મુદ્દે પણ પોલીસ તપાસ થવાની છે.
કિસાન મોરચાએ હાથ ઊંચા કર્યા
પ્રજાસત્તાક દિવસે જ દેશના દિલ દિલ્હીમાં જે પ્રકારે કોહરામ મચાવવામાં આવ્યો તેના વિરુદ્ધ હવે એક્શનની શરૂઆત કરવામાં આવી છે. મંગળવારે બબાલ બાદ ગૃહમંત્રાલયે દિલ્હીના કેટલાક વિસ્તારોમાં ઈન્ટરનેટ સેવા બંધ કરી દેવાનો આદેશ આપ્યો હતો અને તે બાદ પોલીસે પણ એક્શન આગ વધાર્યું હતું. જોકે સંયુક્ત કિસાન મોરચાએ કહ્યું છે કે હિંસાથી તેમને કોઈ લેવાદેવા નથી અને ટ્રેક્ટર રેલીમાં ઉપદ્રવી ઘૂસી આવ્યા હતા જેમને આખો હંગામો કર્યો.
ફરીવાર બોર્ડર પર જામી ભીડ
નોંધનીય છે કે આ ઘટના બાદ હવે ખેડૂત નેતાઓ ચર્ચા કરવાના છે અને આંદોલન આગળ કઈ રીતે વધારવું તેના પર એજન્ડા નક્કી કરવામાં આવશે. મોડી રાત સુધીમાં ઘણા બધા આંદોલનકારીઓ ફરીથી દિલ્હીની વિવિધ બોર્ડર પર પાછા આવી ગયા છે અને ફરીવાર પ્રદર્શનકારીઓનો જમાવડો જોવા મળી રહ્યો છે.