કેન્દ્રએ કિસાન વિકાસ પત્ર યોજનાના 2014થી ચાલી રહેલા નિયમોમાં મોટો બદલાવ કર્યો છે. જે નિયમોને બદલવામાં આવ્યા છે, તેમા રોકાણથી લઇને મેચ્યોરિટી અને ખાતાને બંધ કરવા સુધી સામેલ છે.
કેન્દ્રએ કિસાન વિકાસ પત્ર યોજનાના નિયમોમાં બદલાવ કર્યો
ભારત સરકારે પોતાના પત્રાંક સંખ્યા જીએસઆર 920 (E) જે 12 ડિસેમ્બર 2019એ જાહેર કરવામાં આવી હતી. તેના હેઠળ કિસાન વિકાસ પત્ર 2014ના નિયમ બદલ્યા છે. જો આજે (4 જાન્યુઆરી 2020) કોઇ વ્યક્તિ 50 હજાર રૂપિયા જમા કરે છે. તો પછી 4 જૂન 2029એ તે 1 લાખ રૂપિયા બની જશે.
આટલુ કરવું પડશે ઓછામાં ઓછુ રોકાણ
કેવીપીમાં ઓછામાં ઓછુ કોઇપણ વ્યક્તિએ 1 હજાર રૂપિયાનું રોકાણ કરવું પડશે, રોકાણ 100ના ગુણાંકમાં થશે. જોકે, આ યોજનામાં રોકાણની કોઇ મહત્તમ સીમા નક્કી નથી. આ ઉપરાંત કોઇપણ વ્યક્તિ કેટલાય ખાતાઓ ખોલી શકે છે.
નવા નિયમો મુજબ, મેચ્યોરિટી પર રોકાણકારને જમા પર બેગણી રકમ મળશે. મેચ્યોરિટી બાદ રોકાણકારને ફોર્મ 2 ભરીને સંબંધિત પોસ્ટ ઓફિસમાં જમા કરવું પડશે. ત્યારબાદ લોકોને પૈસા તેમના બેંક ખાતમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે. કેવીપીને સરકાર નાની બચત યોજનાઓની અંતર્ગત ચલાવી રહી છે. તેના પર મળનારુ વ્યાજ દર ત્રણ મહીનામાં બદલાય છે. હાલ આ યોજના પર 7.6 ટકા વ્યાજ મળી રહ્યું છે.
બાળકોના નામ પર પણ ખરીદી શકો છો કેવીપી
કિસાન વિકાસ પત્રને કોઇપણ પોસ્ટ ઓફિસેથી ખરીદી શકો છો. આ બાળકોના નામે મોટાઓ દ્વારા ખરીદી શકાશે. બે લોકો પણ તેને સંયુક્ત રીતે ખરીદી શકે છે. આ ખાતાને મેચ્યોરિટીથી પહેલા પણ બંધ કરી શકાય છે. જોકે, તેના માટે કેવીપી ખરીદનાર વ્યક્તિને ફોર્મ-3 ભરીને આપવું પડશે. એવુ કરવા માટે નિયમ છે કે ખાતાધારક અથવા સંયુક્ત ખાતુ ધરાવનારનું મોત થઇ ગયું છે.