ગોરેગાંવમાં મેટ્રો તૃતીયની યોજના માટે કાર શેડ માર્ગની વિચારણા કરવામાં આવી છે. આ માટે હરિત ક્ષેત્ર અને કોલોનીમાં 2600 ઝાડને કાપી લેવામાં આવ્યા છે. આ વાતના વિરોધમાં આ જનહિત અરજી દાખલ કરવામાં આવી છે.
ગોરેગાંવમાં મેટ્રો તૃતીયની યોજના માટે કાર શેડ માર્ગની વિચારણા
કાર શેડ માટે કાપવામાં આવ્યા 2600 જેટલા ઝાડ
ઝાડ કાપવાના વિરોધમાં કરવામાં આવી અરજી
કોર્ટ કમિટીએ કરી સુનાવણીમાં આવી ટિપ્પણી
મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે કરી આ ટિપ્પણી
મુંબઈમાં મેટ્રો કાર શેડને માટે ઝાડ કાપવાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. આ સમયે મુંબઈ ઉચ્ચ ન્યાયાલયે સોમવારે કહ્યું કે જ્યારે સરકાર ઉત્તમ સંસાધન મેળવ્યા બાદ પણ રાષ્ટ્રિય અર્થવ્યવસ્થાને સંભાળી શકતી નથી તો પર્યાવરણની પરિસ્થિતિ કેવી રીતે સંભાળશે? મુખ્ય ન્યાયાધીશ પ્રદીપ નંદરાજોહ અને ન્યાયમૂર્તિ ભારતી ડાંગરેની ખંડપીઠે એક જનહિત અરજીની સુનાવણીમાં આ ટિપ્પણી કરી હતી. ગોરેગાંવમાં મેટ્રો તૃતીયની પરિયોજના સમયે કાર શેડનો માર્ગ કરવા માટે હરિત ક્ષેત્ર અને કોલોનીના 2600 ઝાડને કાપવાના વિરોધમાં આ અરજી દાખલ કરવામાં આવી હતી.
વૃક્ષ પ્રાધિકરણ વિભાગે આપી હતી મંજૂરી
પર્યાવરણ કાર્યકર્તા જોરુ બાથેનાએ જનહિત અરજી દાખલ કરીને બૃહમુંબઈ મહાનગર પાલિકાના વૃક્ષ પ્રાધિકરણ પાસેથી મુંબઈ મેટ્રો રેલ નિગમ લિમિટેડને ક્ષેત્રના 2646 ઝાડને કાપવા માટે 29 ઓગસ્ટે મંજૂરી આપી હતી. બાથેનાના વકીલ જનક દ્વારકાદાસે સોમવારે દલીલ કરી કે ઝાડ પ્રશાસને નિર્ણય લેવામાં તકેદારી રાખી નહીં. ઉતાવળમાં લેવાયેલા આ નિર્ણયને કારણે મોટું નુકસાન થયું છે.
હરિયાળીને પણ ગણાવી મહત્વની
મેટ્રો પરિયોજના મહત્વની છે અને સાથે જનહિતમાં શહેરની હરિયાળી પણ મહત્વની છે. દ્વારકાદાસની દલીલો સાંભળ્યાા બાદ ખંડપીઠે જણાવ્યું કે વિકાસ વિરુદ્ધ પર્યાવરણ વિવાદનો વિષય છે અને સાથે અરજદારોના તર્કમાં નવું પાસું પણ ઉમેરાયું છે. ન્યાયમૂર્તિ નંદરાજોગે કહ્યું કે દરેક ઉત્તમ સંસાધન હોવા છતાં પણ જો સરકાર રાષ્ટ્રિય અર્થવ્યવસ્થા નથી સંભાળી શકતી તો તે પર્યાવરણ બાબતોને કઈ રીતે સંભાળી શકશે. તેમની પાસે સર્વશ્રેષ્ઠ અર્થશાસ્ત્રી છે પરંતુ તેમ છતાં થોડી ખામી પણ છે. આ કેસની સુનાવણી આજે પણ ચાલુ રહેશે.