બ્રેકિંગ ન્યુઝ

logo

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / Government announces Biporjoy storm damage relief, 1.53 lakh people will be paid 3 crores

BIG NEWS / બિપોરજોયના નુકસાન સામે 11.60 કરોડની સહાય ચૂકવાઈ, આયુષ્માન કાર્ડમાં આ તારીખથી 10 લાખનો લાભ: કેબિનેટમાં જુઓ શું નિર્ણય લેવાયા

Malay

Last Updated: 04:44 PM, 5 July 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બિપોરજોય વાવાઝોડાથી અસરગ્રસ્ત 10 જિલ્લાઓમાં રાજ્ય સરકાર દ્વારા 11.60 કરોડ રૂપિયાની ત્વરિત નુકસાન વળતર સહાય ચૂકવવામાં આવી છે તેવું રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલ દ્વારા જણાવવામાં આવ્યું છે.

  • બિપોરજોય વાવાઝોડાના કારણે થયું હતું ભારે નુકસાન
  • રાજ્ય સરકાર દ્વારા 11.60 કરોડ રૂપિયાની ચૂકવાઈ સહાય
  • સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે આપી માહિતી 

કુદરતી આફતોમાં રાજ્ય સરકાર ઝીરો કેઝ્યુલીટીના ધ્યેયમંત્ર સાથે અસરકારક કામગીરી કરતી આવી છે ત્યારે આવી ઘટનાઓ દરમિયાન રાજ્યના નાગરિકને સહેજ પણ આર્થિક કે શારિરીક નુકશાન થાય તેવા તમામ કિસ્સામાં તેની પડખે રાજ્ય સરકાર ઉભી રહી છે. તાજેતરમાં ગુજરાતમાંથી પસાર થયેલા બિપોરજોય વાવાઝોડાથી ગુજરાતના જે 10 અસરગ્રસ્ત જિલ્લાઓમાં નુકસાન થયું હતું તેવા કચ્છ, દેવભૂમિ દ્વારકા, જામનગર, જુનાગઢ, ગીર સોમનાથ, પોરબંદર, મોરબી, રાજકોટ, પાટણ અને બનાસકાંઠા જિલ્લાઓમાં અત્યાર સુધીમાં રાજ્ય સરકાર દ્વારા અંદાજીત કુલ રૂ.11.60 કરોડની ત્વરીત નુકસાન વળતર સહાય ચુકવી દેવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

કેશડોલ્સના 1,12,653 કેસોમાં રૂા.3.52 કરોડની સહાય
પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે રાજ્ય સરકાર દ્વારા ચૂકવાયેલ ત્વરિત સહાયની વિસ્તૃત વિગતો આપતા જણાવ્યું કે, કેશડોલ્સના 1,12,653 કેસોમાં રૂ.3.52 કરોડની સહાય, ઘરવખરીના 395 કેસોમાં રૂ.20.27 લાખની સહાય, પશુ સહાયના 2858 કેસોમાં રૂ.4.41 કરોડની સહાય, આંશિક પાકા મકાન સહાયના 914 કેસોમાં રૂ.1.14 કરોડની સહાય, આંશિક કાચા મકાન સહાયના 2101 કેસોમાં રૂ.1.68 કરોડની સહાય ચૂકવવામાં આવી છે.

11.60 કરોડની ચૂકવવામાં આવીઃ ઋષિકેશ પટેલ
તદ્ઉપરાંત ઝુંપડા સહાયના 257 કેસોમાં રૂ.21.82 લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ પાકા મકાનના 6 કેસોમાં રૂ.6.10 લાખની સહાય, મહત્તમ સંપૂર્ણ કાચા મકાનના 24 કેસોમાં રૂ.13.40 લાખની સહાય, ઢોરના શેડની સહાયના 432 કેસોમાં રૂ.20.77 લાખની સહાય તેમજ ગ્રામ્ય અને શહેરી વિસ્તારમાં આ વાવાઝોડા દરમિયાન 15 વ્યક્તિઓને થયેલી ઇજામાં સારવાર પેટે રૂ. 72 હજાર મળીને કુલ રૂ. 11 કરોડ 60 લાખથી વધુ રકમની સહાય ચુકવવામાં આવી હોવાનું મંત્રી ઋષિકેશ પટેલે ઉમેર્યું હતું.

PMJAY-મા યોજના અંતર્ગત રૂ.10 લાખ સુધીનું મળશે આરોગ્ય વીમા કવચ
PMJAY-મા યોજના અંતર્ગત રાજ્યના નાગરિકોને આગામી તા.11 જુલાઈ 2023થી આરોગ્ય વીમા સુરક્ષા પેટે રૂ.10 લાખ સુધીની રકમ મળવાપાત્ર થશે. રૂ.5 લાખના આરોગ્ય સુરક્ષા વીમા કવચની રકમ વધારીને રૂ.10 લાખ કરવામાં આવી હોવાનું પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું છે.

સંકળાયેલા મુદ્દાઓ

Gandhinagar news Gujarat government Rushikesh Patel Statement કેબિનેટમાં નિર્ણય ગુજરાત સરકાર નુકસાનની સહાય ચૂકવાઈ બિપોરજોય વાવાઝોડું ભૂપેન્દ્ર પટેલ સરકાર Biporjoy Cyclone In Gujarat
background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

ADVERTISEMENT

log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ

log

વેબ સ્ટોરીઝ

log

મેનુ