રાજકોટ શહેરમાં પાણીની તંગીની સમસ્યા હવે દૂર થશે. રાજકોટની જીવાદોરી સમાન આજી અને ન્યારી ડેમમાં નર્મદાના નીર ઠાલવામાં આવ્યા છે. જેને લઇ લોકોને પૂરતુ પાણી મળી રહેશે. પાણીની અછતને ધ્યાને લઇ રાજ્ય સરકારે આ નિર્ણય લીધો છે. જેમાં આજી ડેમમાં 400 MCFT પાણી ઠાલવવામાં આવ્યું છે. જ્યારે ન્યારી ડેમમાં 100 MCFT પાણી છોડાયું છે. ન્યારી અને આજી ડેમમાં ચોમાસા સુધી ચલાવી શકાય તેટલું પાણી છોડવામાં આવ્યું છે. જેને લઇ હવે રાજકોટમાં સર્જાતી પાણીની તંગીની સમસ્યા દૂર થઇ જશે...