બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે મોટા સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારે કેનાલોમાં 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે
બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર
કેનાલમાં વધુ 15 દિવસ પાણી અપાશે
વધુ 15 દિવસ પાણી ચાલુ રાખવાનો નિર્ણય
બનાસકાંઠાના ખેડૂતો માટે ખુશીના સમાચાર
બનાસકાંઠા જીલ્લાના ખેડૂતો માટે આનંદના સમાચાર સામે આવી રહ્યાં છે. સરકારે બનાસકાંઠા જિલ્લાની કેનાલોમાં આગામી 31મી માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લીધો છે. જેને લઈને ખેડૂતોમાં ખૂશીનો માહોલ સર્જાયો છે.
કેનાલમાં 31 માર્ચ સુધી પાણી ચાલુ રાખવાનો સરકારનો નિર્ણય
ઉલ્લેખનીય છે કે, બનાસકાંઠામાં સરહદીય વિસ્તારની કેનાલોમાં સિંચાઇ માટે પાણી બંધ કરવામાં આવ્યું છે. જેને લઈને વાવ, થરાદ, સુઇગામ, ભાભરના ખેડૂતોમાં ચિંતિત બન્યા હતાં. બીજી તરફ વાવ-થરાદના ધારાસભ્યો સહિત ખેડૂત સંગઠનો દ્વારા આ મામલે સરકારમાં રજૂઆત કરાઇ છે. કેનાલમાં સિંચાઇનું પાણી ચાલુ રાખવા માંગ કરાઇ હતી. તેમજ તાજેતરમાં ભાભર ખાતે ખેડૂતો દ્વારા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલને કેનાલોમાં પાણી ચાલુ રાખવા માટે રજૂઆત કરાઈ હતી.
કેનાલમાં પાણી ચાલુ રખાતા ઉનાળુ પાકને મળશે પિયતનું પાણી
ત્યારે રાજ્ય સરકાર દ્વારા બનાસકાંઠા જિલ્લાના ખેડૂતો માટે આગામી 31 માર્ચ એટલે કે, 15 દિવસ સુધી પાણી ચાલુ રાખવાનો નિર્ણય લેવામાં આવતાં ધરતી પુત્રોમાં આનંદ વ્યાપી ગયો હતો. ખાસ કરીને સરહદી વિસ્તારના ખેડૂતોમાં ખુશીનો માહોલ ફેરવાઈ ગયો છે. ઉલ્લેખનીય છે કે, સરકારના કેનાલમાં પાણી છોડવાના આ નિર્ણયથી ઉનાળું પાકને પિયતનું પાણી મળશે