મોટાભાગે જોવા મળ્યું છે કે જ્યારે શૅર બજારમાં ઘટાડાનું વલણ જોવા મળે છે તો રોકાણકાર સોનામાં રોકાણ કરે છે. આમ પણ ભારતમાં સોનામાં રોકાણ સુરક્ષિત માનવામાં આવે છે. પરંતુ કોરોના વાયરસને કારણે સોનાની ચમકમાં ઘટાડો જોવા મળ્યો છે. જ્યારે સોનાથી વધારે ચાંદી તુટી છે.
કોરોના વાયરસને કારણે સોનાની ચમકમાં ઘટાડો
રોકાણકાર સોનામાં રોકાણની જગ્યાએ કેશમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે
કોરોના વાયરસથી ગત એક સપ્તાહમાં સોનુ લગભગ 7 ટકા તુટી ચૂક્યું છે. જ્યારે ચાંદીમાં 22 ટકાથી વધારેનો ઘટાડો નોંધાયો છે. જાણકારો બતાવી રહ્યા છે કે આ માહોલમાં રોકાણકાર સોનામાં રોકાણની જગ્યાએ કેશમાં રહેવાનું પસંદ કરી રહ્યા છે.
આંતરરાષ્ટ્રીય બજારમાં પણ ઘટાડો
સોના અને ચાંદીમાં ઘટાડાનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ઘટાડાની અસર છે. ભારતમાં 10 ગ્રામનો ભાવ ઘટીને 40,000 રૂપિયાની નીચે પહોંચી ચૂક્યો છે. જ્યારે ચાંદીનો ભાવ ઘટીને 34,200 રૂપિયા કિલો થઇ ગયો છે.
જાણકારો અનુસાર, આવનારા દિવસોમાં સોના અને ચાંદીમાં વધુ ઘટાડાનું વલણ જોવા મળી શકે છે. આમ રોકાણકારોમાં ડર છે કે પૈસા ક્યાં લગાવામાં આવે. કેમકે સોના-ચાંદી કરતા શૅર બજારની સ્થિતિ વધારે ખરાબ છે. લોકો હવે રોકડ ઘરે જ રાખી રહ્યા છે.
સેન્સેક્સમાં લગભગ 14 હજાર સુધીનો ઘટાડો
કોરોના વાયરસ (Coronavirus) ને કારણે સેન્સેક્સ ગત એક મહીનામાં 42,000થી વધારે ઘટીને 28,000 ની આસપાસ પહોંચી ગયો છે. જ્યારે નિફ્ટી ઘટીને 8,500ની આસપાસ કારોબાર કરી રહ્યો છે.
દેશમાં કોરોના વાયરસના સતત વધી રહેલા કેસને પગલે કારોબાર ઠપ્પ થઇ ગયો છે. ઇટાલી, જર્મની, અને સ્પેનમાં સ્થિતિ બગડતી જઇ રહી છે. જ્યારે અમેરિકામાં આ વાયરસને કારણે મોતના આંકડા વધતા જઇ રહ્યા છે.