1 જૂન બાદ નવા નિયમ અનુસાર હોલમાર્ક વિનાનું સોનું વેચી શકાશે નહીં. સરકારે કહ્યું છે કે 3 કવોલિટીના સોનાનું જ વેચાણ કરી શકાશે.
1 જૂનથી બદલાશે સોનાના નિયમો
હોલમાર્ક વિનાનું સોનું વેચી શકાશે નહીં
ફક્ત 3 ક્વોલિટીના સોનાનું જ થશે વેચાણ
સરકારે ગોલ્ડ જ્વેલરીને માટે હોલમાર્કને જરૂરી કર્યો છે. 1 જૂન 2021ના બાદ વિના હોલમાર્ક વિનાના સોનાના દાગીના વેચી શકાશે નહીં. બ્યૂરો ઓફ ઇન્ડિયન સ્ટેન્ડર્ડ એટલે કે BISએ નોટિફિકેશન જાહેર કર્યું છે. દરેક રજિસ્ટર્ડ જ્વેલર્સને જાણકારી આપી છે કે હવે સોનાની શુદ્ધતા હવે 3 ગ્રેડમાં થશે. પહેલું 22 કેરેટ, બીજું 18 કેરેટ અને ત્રીજું 14 કેરેટ. માનવામાં આવી રહ્યું છે કે તેનાથી ગ્રાહકો અને જ્વેલર બંનેને ફાયદો થશે. ક્વોલિટીને લઈને કોઈના મનમાં સંશય રહેશે નહીં.
જ્વેલર્સ એસોસિયેશનની માંગના કારણે વધારી સરકારે ડેડલાઈન
ગોલ્ડને માટે હોલમાર્કિંગ તેની શુદ્ધતાની ઓળખ છે. હાલમાં તે અનિવાર્ય નથી. તેની પહેલી ડેડલાઈન 15 જાન્યુઆરી 2021 હતી. જ્વેલર્સ એસોસિએશનની માંગ પર તેને વધારીને 1 જૂન 2021 કરી દેવામાં આવી છે. ભારત મોટા પાયે સોનાની આયાત કરે છે અને તેને કન્ઝ્યુમ પણ કરે છે. બ્લૂમબર્ગના રિપોર્ટના આધારે ભારત દર વર્ષે લગભગ 700-800 ટન સોનું આયાત કરે છે. જ્વેલરી હોલમાર્કિંગની પ્રક્રિયામાં જ્વેલર્સ BISના A&H સેન્ટર પર જ્વેલરી જમા કરે છે અને સાથે ત્યાંની ગુણવત્તાની તપાસ કરાય છે. રીઝલ્ટના આધારે બીઆઈએસ તેની પર માર્કિંગ કરે છે.
ઘરે બેઠા BISની સાથે રજિસ્ટ્રેશન
જ્વેલર્સને માટે બીઆઈએસની સાથે રજિસ્ટ્રેશનની પ્રક્રિયાને સરળ બનાવી છે. અહીં કામ હવે ઘરે બેસીને ઓનલાઈન કરાય છે. આ માટે www.manakonline.in આ વેબસાઈટ પર જવાનું છે. અહીં જે ડોક્યુમેન્ટ્સની માંગ કરાઈ છે તેને જમા કરવાના છે અને રજિસ્ટ્રેશન ફી જમા કરવાની છે. પ્રક્રિયા પૂરી થયા બાદ એપ્લિકેન્ટ બીઆઈએસના રજિસ્ટર્ડ જ્વેલર બની જાય છે.
જાણો કેટલી છે રજિસ્ટ્રેશન ફી
BIS રજિસ્ટ્રેશન ફીને ઘણી ઓછી રાખવામાં આવી છે. જો કોઈ જ્વેલર્સનું ટર્નઓવર 5 કરોડથી ઓછું છે તો તેના માટે રજિસ્ટ્રેશન ફી 7500 રૂપિયા અને 5 કરોડથી 25 કરોડની વચ્ચે છે તો વાર્ષિક કારોબાર પર રજિસ્ટ્રેશન ફી 15 હજાર રૂપિયા અને 25 કરોડથી ઉપરના ટર્નઓવર માટે આ ફી 40 હજાર રૂપિયા છે. જો કોઈ જ્વેલરનો કારોબાર 100 કરોડને પાર છે તો આ ફીસ 80 હજાર રૂપિયાની છે.