એક એવો વીર યોદ્ધા જેના વગર ભારતનો ઈતિહાસ અધુરો છે. આવો જાણીએ ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશા વિશે.
ભારતના ફિલ્ડ માર્શલ સામ માણેકશા
પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને ઘુંટણીએ લાવનાર આ ગુજરાતી
1973માં તેમણે ફીલ્ડ માર્શલનું સન્માન પ્રદાન કરાયું
ભારતના પહેલા ફિલ્ડ માર્શલ સામ માણેકશાનો જન્મ ૩ એપ્રિલ, 1914ના દિવસે અમૃતસર શહેરમાં એક પારસી પરિવારમાં થયો હતો. એમનો પરિવાર ગુજરાત રાજ્યના દક્ષિણ ભાગમાં આવેલા વલસાડ શહેરમાંથી પંજાબ રાજ્યમાં આવીને વસ્યો હતો. માણેકશાએ પ્રારંભિક શિક્ષણ અમૃતસર ખાતે મેળવ્યું હતું, ત્યારબાદ તેઓ નૈનીતાલ શહેર ખાતે શેરવુડ કૉલેજમાં દાખલ થયા હતા. તેઓ દેહરાદૂન ખાતે ઇંડિયન મિલિટ્રી એકેડમીના પહેલા બેચ માટે પસંદગી પામેલા કુલ 40 છાત્રો પૈકીના એક હતા. ત્યાંથી તેઓ કમીશન પ્રાપ્તિ થયા બાદ ભારતીય સેનામાં ભરતી થયા હતા.
પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને ઘુંટણીએ લાવનાર આ ગુજરાતી
ભારતીય સેનાના અધ્યક્ષ હતા જેમના નેતૃત્વમાં ભારત દેશના લશ્કરે ઈસવીસન ૧૯૭૧માં થયેલા ભારત-પાકિસ્તાન યુદ્ધમાં વિજય પ્રાપ્ત કર્યો હતો, જેના પરિણામ સ્વરૂપે બાંગલાદેશનો જન્મ થયો હતો.
પાકિસ્તાનના 93 હજાર સૈનિકોને ઘુંટણીએ લાવનાર આ ગુજરાતી બહાદુર, નીડર અને સાહસીક હતો. તે ખુદ વડાપ્રધાન ઈન્દિરા ગાંધીને પણ સાચુ કહેતા ડરતા નહતો. વળી તેમની રમૂજવૃત્તિ એવી કે જ્યારે ઈન્દિરા ગાંધીએ પૂછ્યુ કે આપણે યુદ્ધ માટે તૈયાર છીએ? તો તેમણે કહ્યુ આઈ એમ ઓલવેઝ રેડી સ્વીટી.
1973માં તેમણે ફીલ્ડ માર્શલનું સન્માન પ્રદાન કરાયું
1937માં એક સાર્વજનિક સમારોહમાં ભાગ લેવા માટે લાહોર ગયેલા સેમની મુલાકાત સિલ્લો બોડે સાથે થઈ હતી. બે સાલ જેટલા સમય ચાલેલી આ દોસ્તી 22 એપ્રિલ 1939ના વિવાહમાં પરિણામી. 1969ના તેમણે સેનાધ્યક્ષ બનાવવામાં આવ્યાં. 1973માં તેમણે ફીલ્ડ માર્શલનું સન્માન પ્રદાન કરાયું.
1973માં સેના પ્રમુખ ના પદથી સેવાનિવૃત્ત થયા બાદ તેઓ વેલિંગટનમાં વસી ગયા હતાં. વૃદ્ધાવસ્થામાં તેમને ફેફસા સંબંધી બિમારી થઈ ગઈ હતી અને તેઓ કોમામાં ચાલ્યાં ગયા હતા. તેમનું મૃત્યુ વેલિંગટનના સૈન્ય રુગ્ણાલયના આઈસીયૂ માં રાત્રે 12.30 વાગ્યે થયુ.
ફરી એક વાર જાપાની સાથે બાથ ભીડાવી
17મી ઇંફેંટ્રી ડિવીઝનમાં તૈનાત સામ માણેકશાએ પહેલી વાર દ્વિતીય વિશ્વયુદ્ઘ માં યુદ્ધનો સ્વાદ ચાખ્યો, 4-12 ફ્રંટિયર ફોર્સ રેજિમેંટના કેપ્ટનના પદે બર્મા અભિયાન દરમ્યાન સેતાંગ નદીના તટ પર જાપાન સામે લડાઈમાં ગંભીર રીતે જખમી થયા.
સ્વસ્થ થતા માણેકશા પહેલાં સ્ટાફ કૉલેજ ક્વેટા, પછી જનરલ સ્લિમ્સ ની 14મી સેનાના 12 ફ્રંટિયર રાઇફલ ફોર્સમાં લેફ્ટિનેંટ બન્યા અને બર્માના જંગલોમાં ફરી એક વાર જાપાની સાથે બાથ ભીડાવી.
1 લાખ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું
દ્વિતીય વિશ્વયુદ્ઘ પૂર્ણ થયા બાદ સામ માણેકશાને સ્ટૉફ આફિસર બનાવી જાપાનીઓના આત્મસમર્પણ માટે ઇંડો-ચાયના મોકલવામાં આવ્યાં જ્યાં તેમણે લગભગ 1 લાખ યુદ્ઘબંદિઓ ના પુનર્વસનમાં પોતાનું યોગદાન આપ્યું.
1946માં તેઓ ફર્સ્ટ ગ્રેડ સ્ટાફ ઑફીસર બની મિલિટ્રી આપરેશંસ ડાયરેક્ટ્રેટ માં સેવારત રહ્યાં, વિભાજન બાદ 1947-48 ની કાશ્મીરની લડાઈમાં પણ તેમણે મહત્વપૂર્ણ ભૂમિકા નીભાવી હતી. ભારતની આઝાદી બાદ ગોરખાની કમાન સંભાળવા વાળા તેઓ પ્રથમ ભારતીય અધિકારી હતાં. ગોરખા ઓએ જ તેમને સૅમ બહાદુર ના નામથી સૌથી પહલા બોલાવવાની શરૂઆત કરી. બઢતીની સીડી ચઢ઼તા સૅમને નાગાલેંડ સમસ્યાને સુલઝાવવા ના અવિસ્મરણીય યોગદાન માટે 1968માં પદ્મભૂષણ થી સન્માનીત કરાયા હતા.
7 જૂન 1969 ના સામ માણેકશા જનરલ કુમારમંગલમ પછી ભારતના 8મા ચીફ ઑફ ધ આર્મી સ્ટાફ નું પદ ગ્રહણ કર્યું, તેમના આટલા વર્ષોના અનુભવ ની પરીક્ષાની ઘડ઼ી ત્યારે આવી જ્યારે હજારોં શરણાર્થિયોં પૂર્વી પાકિસ્તાનથી ભારત આવવા લાગ્યાં અને યુદ્ઘની સંભવાનાઓ પાક્કી થઈ ગઈ.
ડિસેમ્બર 1971માં એ આશંકા સાચી પડી, સામ માણેકશાના યુદ્ઘ કૌશલ સામે પાકિસ્તાનની કારમી હાર થઈ તથા બાંગ્લાદેશ નું નિર્માણ થયું, તેમના દેશપ્રેમ અને દેશ પ્રતિ નિસ્વાર્થ સેવાને અનુલક્ષી તેમને 1972માં પદ્મવિભૂષણ અને 1 જાન્યુઆરી 1973ના ફીલ્ડ માર્શલના માનદ પદથી સન્માનિત કરાયા. ચાર દશકોં સુધી દેશ ની સેવા કર્યા બાદ સૅમ માનેકશૉએ 15 જાન્યુઆરી 1973ના ફીલ્ડ માર્શલના પદથી સેવાનિવૃત્તી લીધી. 2008માં 27મી જૂનના દિવસે સામ માણેકશાનું નિધન થયું.