બુધવારને ભગવાન ગણેશનો દિવસ માનવામાં આવ્યો છે. ધાર્મિક માન્યતા અનુસાર બુધવારે કેટલાક કામ કરવાથી તમારા જીવનની તકલીફો દૂર થાય છે.
બુધવારના દિવસે કરી લો આ ઉપાય
ભગવાન ગણેશ દૂર કરશે તકલીફો
વ્યાપારમાં લાભ થશે અને સંકટ દૂર થશે
સંકટોનું નિવારણ
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂરના ચોલા ચઢાવો. એ બાદ લાલ ચંદનની માલાથી અહીં આપેલ ગણેશ મંત્રનો 1100 મંત્રોનો જાપ કરવો.
મંત્ર- || ૐ ગણપતયે વરવરદ સર્વજનં મેં વશમાનય સ્વાહા ||
આ પ્રયોગને સતત 5 બુધવાર સુધી કરવાથી તમામ સમસ્યાઓ પછી તે આર્થિક હોય, સામાજિક, દુર્ભાગ્ય હોય અથવા અન્ય કોઇ પણ પ્રકારની સમસ્યાઓ હોય શ્રી ગણેશ જી તમામ મુશ્કેલીઓ ઠીક કરી દેશે.
વ્યાપારમાં લાભ
જો વેપારમાં ખોટ થઇ રહી હોય અથવા પાછળ રહી ગયા છો તો બુધવારના દિવસે સવારે 8 વાગ્યાથી 10 વાગ્યા વચ્ચે થોડો કાથો લઇ આવો. ઘરે તેનો થોડો ચૂરો બનાવી તેમા થોડું ગાયનું ઘી, સિંદૂર અને મધ મેળવી ગણેશજીની પ્રતિમા બનાવો અને પછી આ મંત્ર - ૐ ગં ગણપતયે વરવરદ સર્વજનં મેં વશમાનય સ્વાહા મંત્રનો 108 વાર જાપ કરવો. આમ કરતા જ એ સમયથી તમારા વેપારમાં વૃદ્ધી થવાનું શરૂ થઇ જશે.
ધનિક બનવા માટે
બુધવારના દિવસે રાત્રીમાં 12 વાગ્યે કોઇ સુમસાન ચાર રસ્તા પર મરીના 5 દાણા હાથમાં લઇને જાઓ. ચાર રસ્તા વચ્ચે ઉભા રહીને મરીના 5 દાણાને પોતાના પરથી 7 વાર ઉતારી લેવા. હવે 5માંથી 4 દાણા ચાર દિશાઓમાં એક-એક કરીને ફેંકી દો. પાંચમાં દાણાને તમારી ઉપર આકાશ તરફ જોરથી ફેંકી દો અને પાછળ જોયા વિના પાછા ઘરે આવી જાવ. આપના જીવનમાં અચાનક ધનની વૃદ્ધી થતી જોવા મળશે.
બુધવારના દિવસે ગણેશજીને સિંદૂર અર્પિત કરો. તેમને સિંદૂર ચઢાવવાથી સમસ્ત પરેશાનીઓ દૂર થઈને બધી સમસ્યાઓનુ સમાધાન થાય છે.
બુધવારે ગણેશજીના મંદિરમાં જઈને દર્શન જરૂર કરો.
સૌથી નાની આંગળીમાં પન્ના રત્ન ધારણ કરો. પન્ના ધારણ કરતા પહેલા કોઈ વિશેષજ્ઞ જ્યોતિષિને કુંડળીનો અભ્યાસ કરાવી લેવો જોઈએ.
કોઈ ગરીબને લીલા મગનુ દાન કરો. મગ બુઘ ગ્રહથી સંબંધિત અનાજ છે. તેનુ દાન કરવાથી બુઘ ગ્રહના દોષ શાંત થાય છે.
ગણેશજીને સિંદૂર ચઢાવો. હનુમાનજી સાથે જ ગણેશજીનો શ્રૃંગાર પણ સિંદૂરથી કરવામાં આવે છે. તેથી ગણેશજીને સિંદુર ચઢાવવાથી બધી પરેશાની દૂર થાય છે.
બુધવારે ગાયને લીલી ઘાસ ખવડાવો. ગાયને પૂજનીય અને પવિત્ર માનવામાં આવે છે. ગૌમાતાની સેવાથી બધા દેવી-દેવતાઓની કૃપા કાયમ રહે છે.
બુધવારે સવારે જલ્દી ઉઠો અને સ્નાન આદિ કામોથી પરવારીને ગણેશજીના મંદિરમાં જાવ. શ્રી ગણેશને દૂર્વા અર્પિત કરો. દુર્વાની 11 કે 21 ગાંઠ ચઢાવશો તો શુભ ફળ જલ્દી મળે છે.