ગાંધીનગરના મ્યુનિ. કમિશ્નર ડો. રત્નકંવર ગઢવીચારનનો કોરોના રીપોર્ટ આજે પોઝીટીવ આવ્યો હતો. જે બાદ માહિતી મળી હતી કે મનપા કમિશ્નરને તેમના નિવાસ સ્થાને જ હોમ આઈસોલેટ કરાયા છે .
ગાંધીનગર મનપામાં કોરોનાનો પ્રવેશ
મનપા કમિશ્નરને લાગ્યો કોરોના ચેપ
તેમના નિવાસ સ્થાને કરાયા હોમ આઈસોલેટ
ગાંધીનગર મનપા કમિશ્નર ડો. રત્નકંવર ગઢવીચારનનો કોવિડ રિપોર્ટ પોઝીટીવ આવતા તંત્રમાં મનપા સ્ટાફમાં સોપો પડી ગયો હતો. ઉલ્લેખનીય છે કે ગાંધીનગરમાં પણ કોરોના પોઝીટીવના ઘણા કેસો આમે આવ્યા હતાં, જો કે મનપાના કમિશ્નર પોતે પોઝીટીવ આવતા મનપા કર્મચારીઓમાં ભય વ્યાપી ગયો હતો.
કોણ છે ડો. રત્નકંવર ગઢવીચારન?
ડો. રત્નકંવર ગઢવીચારનએ ૨૦૦૮ની બેચના ગુજરાત કેડરના IAS ઓફિસર છે. તેઓ પોતે મેડીકલમાં સ્નાતક છે. તેમણે MBBSની ડીગ્રી અમદાવાદથી લીધી હતી. ડો. રત્નકંવર ગઢવીચારનના પિતા અમદાવાદમાં શાકભાજી વિક્રેતા હતાં. તેમણે જયારે ૨૦૦૮માં સિવિલ સર્વિસની પરીક્ષા પાસ કરી હતી ત્યારે તેઓ ગુજરાતના 1999 થી 2012 સુધીના 15 વર્ષોમાં IAS બનનાર સૌથી પહેલા મહિલા હતા.
આ પહેલા તેઓ પાટણ જીલ્લાના ડીડીઓ તરીકેનો ચાર્જ પણ સંભાળી ચૂક્યા છે. તેમને તેમની પ્રેરણા વિષે પૂછતા તેઓએ તેમની સફળતાનો સંપૂર્ણ યશ તેમની માતાને આપ્યો હતો.