અમદાવાદમાં વરસાદ થતા સાબરમતી રિવરફ્રંટ નજીક ગાંધીઆશ્રમની દીવાલ ધરાશાયી થઈ. આશ્રમમાં નંદીની ભવનની દીવાલ ધરાશાયી થતા અફરા-તફરીનો માહોલ સર્જાયો હતો. આ પહેલા ભારે વરસાદ થતા દીવાલ ક્ષતિગ્રસ્ત થઈ હતી. ત્યારે હવે ભારે પવન સાથે વરસાદ થતા દીવાલ ધરાશાયી થઈ છે.
વરસાદ આગાઉ આ દિવાલ ક્ષતિગ્રસ્ત થઇ હતી. જેનુ સમારકામ વરસાદ બાદ કરવાનું હતું. જોકે આજે આ દિવલ ધરાશાયી થઇ ગઇ છે. નંદીની ભવનમાં દેશના પ્રથમ પીએમ જવાહર લાલ નહેરુ અને તેમની ઘણીબધી યાદો આ દિવાલ સાથે જોડાયેલી છે. હાલ તાત્કાલિક ધોરણે કાટમાળ ઉઠાવવામાં આવી રહ્યો છે, ત્યારબાદ તેનું સમારકામ કરવામાં આવશે.
તો અમદાવાદમાં સામાન્ય વરસાદ થતા અનેક વિસ્તારોમાં ખાડા પડ્યા છે. ઉસ્માનપુરા ચાર રસ્તા પર ખાડો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. જ્યારે શહેરના થલતેજ વિસ્તારમાં રસ્તા પર ખાડા પડ્યા છે. શહેરમાં એક તરફ મેટ્રોની કામગીરી ચાલી રહી છે. તો બીજી તરફ ખાડાથી પરેશાની થઈ રહી છે. રસ્તા વચ્ચે ખાડા પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે.
દિલ્લી દરવાજા પાસે રસ્તા વચ્ચે ખાડો પડતા વાહન ચાલકોને હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. ખાડો થવાના કારણે એક તરફનો રસ્તો બંધ કરાયો છે. તંત્રએ પ્રિ-મોન્સૂનની કામગીરીને લઈને કરેલા દાવા પોકળ સાબિત થયા છે.