ગઢડા મોટીબાસ્મૂતી મંદિરમાં મહિલાના શોચકીર્યા ના વીડિયો મામલે પીડિતા એ ફરીવાર યોજી પત્રકાર પરિષદ.મંદિરના ચેરમેન દ્વારા મહિલા સામે કરેલા આક્ષેપો ને લઈ આપી પ્રીતિકિર્યા.મોટીબા સ્મૂતી મંદિરમાં શોચકીર્યા ની જગ્યા પાસે નથી તુલસી નો ક્યારો તેમજ મંદિર વિભાગ દ્વારા બાથરૂમ ને માળી દીધા છે તાળા. જો આગામી દિવસોમાં પીડિતા ને ન્યાય નહિ મળે તો કરવામાં આવશે ઉપવાસ આંદોલન.
મંદિરના ચેરમેને કરેલા આક્ષેપ સામે પીડિત મહિલાની પ્રતિક્રિયા
ન્યાય ન મળે તો પીડિતાની ઉપવાસ આંદોલનની ચીમકી
બોટાદ જિલ્લાના ગઢડા શહેરમાં આવેલ ગોપીનાથજી મંદિર છેલ્લા ઘણા સમય થિ વિવાદો માં આવી રહ્યું છે.ત્યારે ગત 23 ઓગસ્ટ ના રોજ મોટીબા સ્મૂતી મંદિરમાં મહિલા શોચકીર્યા કરતી હોય તેવા સોસીયલ મીડિયા માં વીડિયો વાઇરલ થયેલ. જેને લઈ પીડિતા દ્વારા અમદાવાદ ખાતે પત્રકાર પરિષદ યોજી અને સમગ્ર ઘટના અંગેની માહિતી આપેલ અને પોલીસ ફરિયાદ ન લેતી હોય તેમ જણાવેલ.
તુલસી નો ક્યારો છે ત્યારે ત્યાં શુ શોચકીર્યા કરવી જોઈએ?
મીડિયામાં સમાચારો આવતા પોલીસ દ્વારા ફરિયાદ લેવામાં આવેલ. ત્યારે મહિલા કરેલા આક્ષેપો સામે ગોપીનાથજી મંદિરમાં ચેરમેન હરજીવન સ્વામી દ્વારા પ્રતિકિર્યા આપેલ અને જણાવેલ કે મહિલાઓ તાળા તોડવા આવેલ હતી તે સમયના સીસીટીવી કેમેરા છે અને ત્યાં તુલસી નો ક્યારો છે ત્યારે ત્યાં શુ શોચકીર્યા કરવી જોઈ તેમ જણાવ્યું હતું.
પીડિતા મહિલા દ્વારા આજે મોટીબા સ્મૂતી મંદિર ખાતે આજે પત્રકાર પરિષદ યોજી હતી અને જણાવેલ કે મંદિર સામે અન્ય સીસીટીવી કેમેરા લગાવેલ છે.તેમ છતાં પણ શોચકીર્યા ની જગ્યા ના કેમ વીડિયો વાઇરલ કર્યા.મંદિર વિભાગ દ્વારા બહેનોને હેરાન કરવા માટે બાથરૂમ ને તાળા મારી દેવામાંઆવેલ છે જેને લઈ ના છૂટકે મહિલાઓ ને ત્યાં શોચકીર્યા કરવી પડે છે.અને શોચકીર્યા ની જગ્યા પાસે કોઈપણ તુલસી નો કયારો છેજ નહીં.અને પીડિતા મહિલાને ફરિયાદ ને આટલા દિવસો થયા છતાં પોલીસ દ્વારા કોઈપણ કાર્યવાહી કરવામાં આવી નથી અને અમને બદનામ કરવા માટે આ મંદિર વિભાગ દ્વારા કરવામાં આવી રહ્યું છે અને જો આગામી દિવસોમાં અમને ન્યાય નહિ મળે તો અમે ઉપવાસ અદોલન કરશું.