આતંકવાદનો ખતરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને આફ્રિકામાં વધી રહ્યો છે અને આ વાત સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે.
આતંકવાદી જૂથો ટેક્નોલોજીની મદદથી તેમની ક્ષમતામાં વધારો કરે છે
એનના દેશોને આ સમગ્ર મામલે નક્કર પગલાં લેવા જોઈએ
ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને આફ્રિકામાં આતંકવાદનો ખતરો વધ્યો
આજે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદ (UNSC) ની આતંકવાદ વિરોધી સમિતિની વિશેષ બેઠકનો બીજો દિવસ છે અને આ બેઠક દિલ્હીના તાજ પેલેસમાં યોજાઇ હતી. આ દરમિયાન વિદેશ મંત્રી એસ.જયશંકરે ફરી આતંકવાદ પર કડક વલણ અપનાવ્યું હતું. એમનું કહેવું છે કે તાજેતરના વર્ષોમાં આતંકવાદી જૂથોએ ખાસ કરીને ખુલ્લા અને ઉદાર સમાજની અંદરથી ટેક્નોલોજીની પહોંચ મેળવીને તેમની ક્ષમતામાં વધારો કરી રહ્યા છે.
Internet and social media platforms have turned into potent instruments in the toolkit of terrorists and militant groups for spreading propaganda, radicalisation & conspiracy theories aimed at destabilising societies: EAM Dr S Jaishankar pic.twitter.com/sp6psxg807
સમાજને અસ્થિર કરવાના હેતુ ટેક્નોલોજીનો ઉપયોગ કરે છે
જયશંકરે કહ્યું હતું કે, 'આતંકવાદનો ખતરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને આફ્રિકામાં વધી રહ્યો છે, તે સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દર્શાવવામાં આવ્યું છે. તેમણે યુએનના દેશોને આ સમગ્ર મામલે નક્કર પગલાં લેવા જોઈએ. નવી ટેક્નોલોજી સરકારો માટે નવા પડકારો ઉભી કરે છે કારણ કે અસામાજિક તત્વો દ્વારા દુરુપયોગ થઈ રહ્યો છે. આતંકવાદીઓ સ્વતંત્રતા, સહિષ્ણુતા અને પ્રગતિ પર હુમલો કરવા માટે લોકો માટે મદદરૂપ બનતી ટેક્નોલોજી, પૈસા અને નીતિનો ઉપયોગ કરે છે અને સમાજને અસ્થિર કરવાના હેતુથી પ્રચાર, કટ્ટરતા અને ષડયંત્રના સિદ્ધાંતો ફેલાવવા માટે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયા પ્લેટફોર્મ આતંકવાદીઓ અને તેમના સમૂહના ટૂલકિટમાં શક્તિશાળી સાધનો બની ગયા છે.'
India will be making a voluntary contribution of half a million dollars to the UN Trust Fund for Counter Terrorism this year to augment the efforts of UNOCT in providing capacity-building support to member states in preventing& countering the threat of terrorism: EAM S Jaishankar pic.twitter.com/GQhfgmgNqC
'આતંકવાદ જેવા ખતરાનોને ટાળવું હવે જરૂરી બન્યું'
સાથે જ એમને કહ્યું હતું કે 'સીટીસીની આ વિશેષ બેઠક માટે આજે અહીં દિલ્હીમાં હાજર છો, જે યુએનએસસીના સભ્ય દેશોના આતંકવાદના મુદ્દા પર ધ્યાન કેન્દ્રિત કરે છે એ દર્શાવે છે. આતંકવાદ માનવતા માટે સૌથી મોટો ખતરો છે અને UNSC એ છેલ્લા 2 દાયકામાં આતંકવાદ જેવા ખતરાનો સામનો કરવા માટે એક નોંધપાત્ર આર્કિટેક્ચર વિકસાવ્યું છે.' આતંકવાદનો ખતરો માત્ર ભારતમાં જ નહીં પરંતુ સમગ્ર એશિયા અને આફ્રિકામાં વધી રહ્યો છે અને આ વાત સંયુક્ત રાષ્ટ્રના રિપોર્ટમાં દર્શાવવામાં આવી છે. સાથે જ જયશંકરે યુએનના દેશોને આ સમગ્ર મામલે નક્કર પગલાં લેવા કહ્યું કે 'સંયુક્ત રાષ્ટ્રના પ્રયાસો છતાં આતંકવાદ પર અંકુશ આવી રહ્યો નથી.'
Delivered the keynote address at the plenary session of UNSC special meeting of counter-terrorism committee on ‘Countering the use of new and emerging technologies for terrorist purposes’ in New Delhi today. pic.twitter.com/1rIVnAvSwe
નવી ટેકનોલોજી પર લગામ લગાવવાની જરૂર
જયશંકરે કહ્યું હતું કે 'ભારતનો પોતાનો અનુભવ દર્શાવે છે કે 2008ના મુંબઈ આતંકી હુમલામાં VOIP ટેક્નોલોજીનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આપણએ બધા જાણીએ છીએ કે હાલના સમયમાં આ આતંકવાદી જૂથો ડ્રગ્સ, હથિયારની આપ-લે, સરહદ પારથી આતંકવાદી હુમલાઓ કરવા માટે ડ્રોન અને ક્વોડકોપ્ટરનો ઉપયોગ કરી રહ્યા છે. આવી નવી ટેક્નોલોજીના આતંકવાદી ઉપયોગને રોકવા માટે તાત્કાલિક પગલાં લેવાની જરૂર છે. આ માટે સંયુક્ત રાષ્ટ્ર સુરક્ષા પરિષદની આતંકવાદ વિરોધી મિકેનિઝમને મજબૂત કરવી જરૂરી છે. આ માટે ભારત તેના વતી યુએન ફંડમાં 5 લાખ ડોલરનું આર્થિક યોગદાન આપવાની જાહેરાત કરે છે.