સુરેન્દ્રનગર જીલ્લામાં ફરી વેપારીનો સ્વાગ રચી પોતે કાલા કપાસનો વેપારી હોવાની ઓળખ આપી ખેડુતોનો વિશ્વાસ કેળવી અને ખેડૂતોનો કપાસ સહિતના પાકોની ખરીદી કરી રૂપિયા 40.80 લાખની છેતરપીંડી કરી છેલ્લા દશ મહિનાથી ફરાર આરોપીને ઝડપી પોલીસે પુછપરછ હાથ ધરી હતી.
સુરેન્દ્રનગર જીલ્લામાં ખેડૂતો સાથે છેતરપીંડિ
કાલા કપાસનો વેપારી હોવાની ઓળખ આપી ફ્રોડ કર્યુ
40.80 લાખની છેતરપીંડિ કરી
અમદાવાદ જીલ્લાના સાણંદ તાલુકાના ગોહિલપુરા ગામનો આરોપી સિંકન્દરખાન જીંતસીંગ રાઠોડ અને તેનો ભાઇ છેલ્લા પાંચ વર્ષથી વઢવાણ તાલુકાના બલદાણા, ગોમટા સહિતના આજુબાજુના ગામડાઓમાં આવી દર વર્ષે સીઝનમાં કપાસ અને એરંડાની ખરીદી કરતો હતો અને રૂપિયા ચુકવવો હતો. આમ આરોપી સિંકન્દરખાન અને તેના ફરાર ભાઇ આરોપી ફિરોજે ખેડુતોનો વિશ્વાસ કેળવી લીધો હતો.
પરંતુ છેલ્લા બે વર્ષથી બન્ને આરોપીઓએ વઢવાણ તાલુકાના ૫ થી ૬ ગામોના ખેડૂતો પાસેથી સીઝનમાં કપાસ અને એરંડાની ખરીદી કરી હતી પરંતુ ત્યાર બાદ બન્ને ભાઈઓએ ખેડુતોને ચુકવવાની રકમ રૂપિયા 40.80 લાખ ન ચુકવી અને એકાએક પોતાની ઓફીસ બંધ કરી અને છેલ્લા દશ માસથી ફરાર થઈ ગયા હતા.
જે અંગેની ફરીયાદ વઢવાણ પોલીસ શટેશનમાં ખેડુતોએ નોંધાવી હતી. જેથી પોલીસે અલગ અલગ ટીમો બનાવી અને હુમન્સ શોર્સીસથી તપાસ હાથ ધરતા આરોપીઓ સાણંદ નજીક ખેતરમાં છુપાવેલા હોવાની બાતમીના આધારે પોલીસે રેડ કરતા આરોપીઓ ભાગવા લાગતા પોલીસે એક કિલોમીટર સુધી અંધારામાં ફિલ્મી ઢબે પીછો કરી અને આરોપી સિંકન્દરખાન ને ઝડપી લીધો હતો અને તેનો ભાઇ ફિરોજખાન નાસી છુટવામાં સફળ થયો હતો.
આમ પોલીસે ખેડુતો સાથે છેતરપીંડી કરી કપાસ એરંડાની ખરીદી કરી રૂપિયા 40.80 લાખ ન ચુકવી ફરાર આરોપીને દશ મહિના બાદ ઝડપી પાડી પોલીસ શટેશન લાવી પુછપરછ હાથ ધરી હતી. જેમા આરોપીએ કબુલાત કરી હતી કે તેઓએ ખેડુતો સાથે છેતરપીંડી કરી છે. પરંતુ પોતે ધંધામાં ખોટ જતા વ્યાજના ચક્કરમાં આવી જતા ખેડુતો પાસેથી ખરીદ કરેલ કપાસ અને એરંડા કડી માર્કેટિંગ યાર્ડમાં વેચી અને રૂપિયા વ્યાજવાળાને ચુકવી દઈ અને બન્ને ભાઇઓ નાસતા ફરતા હતા.
હાલ તો ખૈડુતોના પરસેવાની કમાણીના રૂપિયા લઈ નાશી જનાર આરોપીઓ પોલીસ પક્કડમાં આવેલ છે પરંતુ હવે ખેડુતોને કેવો ન્યાય મળે છે ને પોલીસ આરોપી પાસેથી ખેડુતોના રૂપિયા પરત અપાવી શકે છે કે કેમ તેમજ આરોપીને હવે કાયદો શુ સજા આપે છે તે જોવુ રહ્યુ ? અને હજી એક ફરાર આરોપી ક્યારે ઝડપાય છે તે જોવુ રહ્યુ ?