મોહન કુંડારિયાએ કહ્યું હતું કે કે "મારા જીજાજીના ભાઈનાં ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો એમને ગુમાવ્યાં છે. અત્યાર સુધી અગિયાર મૃતદેહો મળ્યા છે. એક બાકી છે."
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
આ ઘટના આખા ગુજરાત માટે દુઃખદ - મોહન કુંડારિયા
સરકાર અને મોરબીની જનતાનો સાથ અને પ્રયાસો અભિનંદનને પાત્ર
મોરબીમાં મોડી સાંજે ઝૂલતો પુલ તૂટવાની દુર્ઘટનાને કારણે રાજ્યભરમાં શોકનો માહોલ વ્યાપી ગયો છે. આ દુર્ઘટનામાં 400થી વધુ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા. જેમાં અત્યાર સુધી 25થી વધુ બાળકો સહિત 141થી વધુના મોત થયા હોવાનું સામે આવ્યું છે, જ્યારે મૃત્યુઆંક હજુ પણ વધી શકે છે. આ સિવાય અનેક લોકો ગંભીર રીતે ઈજાગ્રસ્ત પણ થયા છે.
સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા
આ દુર્ઘટનામાં સાંસદ મોહન કુંડારિયાના પરિવારના સભ્યોના પણ મોત થયાના સમાચાર છે. સાંસદ મોહન કુંડારિયાનાં બહેનના કુટુંબના 12 સભ્યોના મૃત્યુ થયા છે. સગા બહેનના જેઠાણીના પરિવારના લોકો, ચાર દીકરી ચાર જમાઈ અને સંતાનોના મોત થયા છે. એક પરિવારનાં 12 સભ્યોનાં મૃત્યુ થયા છે. સાંસદ મોહન કુંડારિયા સતત ખડેપગે છે.
આ ઘટના આખા ગુજરાત માટે દુઃખદ
આ વિશે મીડિયા સાથે વાત કરતાં મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, ' આ ઘટના મોરબી જ નહીં પણ આખા ગુજરાત માટે દુઃખદ છે. આખા ગુજરાતમાંથી લોકો રજા અને આનંદ માણવા માટે નીકળ્યા હતા અને અચાનક જે દુર્ઘટના બની એમાં જે લોકો એ તેમના જીવ ગુમાવ્યા છે અને જે લોકો એ એમના સ્નેહીજનોને ગુમાવ્યા છે એ ખૂબ જ દુઃખદ છે. પણ મોરબીની જનતાને હું એક અભિનંદન એટલા માટે આપીશ કે હજારો લોકો એ આખી રાત જાગીને આ કાર્યની અંદર મદદ કરી છે.
સરકાર અને મોરબીની જનતાનો સાથ અને પ્રયાસો અભિનંદનને પાત્ર
કેન્દ્ર સરકાર અને દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી આખી રાત લાઈવ કોન્ટેકમાં રહીને પૂછપરછ કરી રહ્યા હતા અને કહ્યું હતું કે કોઈને તકલીફ ન પડવી જોઈએ અને જે ઇજાગ્રસ્ત થયા છે તેને સારી સારવાર મળવી જોઈએ. અને દેશના ગ્રહમંત્રી સાથે સાંજે વાત થયા પછી તુરંત જ NDRF ની ટીમ હોય, નેવીની ટીમ હોય કર CF ના જવાનો હોય બધાને તાત્કાલિક અહિયાં મોકલી આપ્યા હતા અને હાલ સેંકડો યુવાનો અને NDRF ની ટીમ હાલ હોળીઓ લઈને મૃતદેહ શોધે છે. અને મોરબીની જનતા એ જે રાત આખી જાગીને બીજાના સ્વજનોને શોધવાના પ્રયત્નો કર્યા છે એ માટે તે અભિનંદનને પાત્ર છે.
મોહન કુંડારિયાએ કહ્યું હતું કે કે "મારા જીજાજીના ભાઈનાં ચાર દીકરી, ત્રણ જમાઈ અને પાંચ બાળકો એમને ગુમાવ્યાં છે. અત્યાર સુધી અગિયાર મૃતદેહો મળ્યા છે. એક બાકી છે."
દોષી પર કાર્યવાહી 100 ટકા થશે
પુલ હજુ સર્ટિફિકેશન પણ મળ્યું નહતું અને પુલ પર ક્ષમતા કરતાં વધુ લોકોને જવા દેવામાં આવ્યા હતા એ વાત પર મોહન કુંડારિયાએ કહ્યું હતું કે, ' મુખ્યમંત્રી અંહિયા છે, ગુહ મંત્રી પણ અહિયાં જ છે અને એમને કમિટીની રચના કરી છે. ઇમરજન્સીમાં બે દિવસમાં તપાસનો અહેવાલ આવી જાય એ પછી જે દોષી હશે તેના પર પગલાં લેવામાં આવશે તેમાં શંકાને કોઈ સ્થાન નથી. આ ખૂબ જ દુઃખદ બનાવ બન્યો છે અને દોષી પર કાર્યવાહી 100 ટકા થશે.
મોરબીની દુર્ઘટનાના CCTV સામે આવ્યા
મોરબી માટે રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ. ગઈકાલે સાંજે 6:30 વાગ્યાની આસપાસ ઝૂલતો પુલ ધરાશાયી થયોને એકસાથે 400થી વધુ લોકો મચ્છુ નદીમાં પડ્યાં જેમાં અત્યાર સુધી 141 લોકોએ પોતાના જીવ ગુમાવ્યા છે અને મચ્છુ નદીમાં હજુ પણ અનેક મૃતદેહો ફસાયા હોવાની આશંકા છે. ત્યારે મોરબીની દુર્ઘટનાના CCTV ફૂટેજ સામે આવ્યા છે. ઝૂલતો પુલ તૂટ્યાના સીસીટીવી ફૂટેજ સામે આવ્યા છે. જેમાં પુલ તૂટતો નજરે પડી રહ્યો છે. પુલ તૂટ્યા પહેલા ઝૂલી રહ્યો હતો. પુલ તૂટતાં જ તમામ લોકો નદીમાં ખાબક્યા હતા. CCTVમાં દેખાઈ રહ્યું છે કે, માત્ર 3 સેકન્ડની અંદર પુલ તૂટે છે. આ પુલ તૂટવાની ઘટના સાથે જ 500થી વધુ લોકોએ મોતને નજર સામે જોઈને કિલકારીઓ બોલાવી હતી. જે બાદ અચાનક તમામ લોકો મચ્છુ નદીમાં ખાબક્યા હતા અને ચારેબાજુ ચિચિયારીઓ સંભળાઈ.