દેશના કેટલાક ભાગોમાં નાગરિકતા સંશોધન કાયદા (CAA) ને લઇને જોરદાર વિરોધ થઇ રહ્યો છે. તેને લઇને સુપ્રીમ કોર્ટના પૂર્વ જસ્ટિસ માર્કન્ડે કાત્જૂએ પણ પોતાની નારાજગી વ્યક્ત કરી છે. કાત્જૂએ પંજાબ ટૂડે વેબસાઈટ પર લખેલાં એક લેખમાં લખ્યું કે મને આ કહેતાં દુ:ખ થઇ રહ્યું છે, પરંતુ મારે સત્ય બોલવું જોઇએ. તેમણે કહ્યુ કે ભાજપે પોતાની તમામ નિષ્ફળતાઓ માટે આ બહાનું શોધ્યું છે અને મુસ્લિમોને બલિના બકરા બનાવાયા છે.
અર્થવ્યવસ્થાની ખરાબ સ્થિતિ પરથી ધ્યાન હટાવવા આ બિલ લવાયું
ભાજપે પોતાની તમામ નિષ્ફળતાઓ માટે બહાનું શોધ્યું છે
200 મિલિયન ભારતીય મુસ્લિમમાં માટે ખરાબ દિવસ આવી રહ્યાં છે. પંજાબ ટૂડે નામની એક સાઇટ પર પોતાનો અભિપ્રાય લખતા માર્કન્ડેય કાત્જૂએ કહ્યું કે,
સુપ્રીમ કોર્ટના પૂર્વ જજે લખ્યું કે ભારતીય વસતીના લગભગ 80 ટકા હિન્દુ છે, અને મોટાભાગના ભારતીય હિન્દુ અત્યંત સાંપ્રદાયિક અને ઘ્રુવીકૃત થઇ ગયા છે. ખાસ કરીને 2014માં ભાજપની સત્તામાં આવ્યા બાદ. તેમની નજરમાં, મોટાભાગના મુસ્લિમ કટ્ટરપંથી, રાષ્ટ્ર વિરોધી અને આતંકવાદી છે.
માર્કન્ડેય કાત્જૂએ આગળ લખ્યું કે, ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખુબ જ ખરાબ છે. જીડીપી સતત નીચે જઇ રહી છે. વિનિર્માણ સેક્ટરમાં પણ ઘટાડો થયો છે. ઓટો સેક્ટરમાં વેચાણ 30-40 ટકાનો ઘટાડો થયો છે. રિયલ એસ્ટેટ સેક્ટર પણ ખરાબ સમયથી પસાર થઇ રહ્યું છે અને બેરોજગારી વધતી જઇ રહી છે.
12 મિલિયન યુવા દર વર્ષે નોકરીની શોધમાં છે, પરંતુ નોકરીઓની સંખ્યામાં ઘટાડો થઇ રહ્યો છે. એક જ સમયે શાકભાજી અને ઇંધણની કિંમતો આસમાને પહોંચી છે, ખેડૂતોનું સંકટ વધી ગયું છે. અને બાળ કુપોષણમાં વૃદ્ધિ થઇ છે (લગભગ 50 ટકા ભારતીય બાળકો વૈશ્વિક ભૂખ સૂચકાંક અને યૂનિસેફની રિપોર્ટ અનુસાર કુપોષિત છે, અને 50 ટકા ભારતીય મહિલાઓ એનીમિક છે.) ભારતીય જનતા માટે યોગ્ય સ્વાસ્થ્ય અને સારી શિક્ષણ હાજર નથી.
1922માં ઇટલી અને 1933માં જર્મનીમાં ફાસીવાદી સરકારોના સત્તા સંભાળવાના સમયે ઠીક આ જ સ્થિતિ હતી. ભાજપ સરકાર પાસે આ વાતનો કોઇ સંકેત નથી કે જે ભયાનક આર્થિક સંકટને ભારતને જકડી લીધો છે. તેને કેવી રીતે ઉકેલવામાં આવે. તેથી સરકારે આ તમામથી બચવા માટે મુસ્લિમને બલિના બકરા બનાવ્યા છે. જે પ્રકારે જર્મનીમાં તમામ સમસ્યાઓ માટે યહૂદિઓને દોષિત ઠેરાવવામાં આવ્યા હતા, ભારતમાં તમામ સમસ્યાઓ માટે મુસ્લિમને દોષિત ઠેરાવવામાં આવી રહ્યા છે.