દેશના પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીની તબિયત રવિવારની સરખામણીએ સોમવારે થોડી વધુ કથળી છે. પ્રણવ મુખર્જીના સ્વાસ્થ્ય વધુ બગડ્યું છે. જેને લઇને દિલ્હીની આર્મી હોસ્પિટલ દ્વારા હેલ્થ બુલેટિન બહાર પાડવામાં આવ્યું છે. હાલ પૂર્વ રાષ્ટ્રપતિની સંભાળ સ્પેશિયલ ડોકટરો રાખી રહ્યાં છે.
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી હાલ દિલ્હીમાં આર્મી હોસ્પિટલમાં દાખલ છે. આર્મી હોસ્પિટલ દ્વારા બહાર પાડવામાં આવેલ હેલ્થ બુલેટિનમાં જણાવાયું છે કે તેમના ફેફસામાં ઇન્ફેકશનના કારણે સેપ્ટિક શૉક છે. પ્રણવ મુખર્જીનો ઇલાજ સતત વેંટિલેટર પર કરવામાં આવી રહ્યો છે. તેઓ ગહન કોમામાં છે.
There is a decline in the medical condition of Former President Pranab Mukherjee since yesterday. He is in septic shock due to his lung infection & is being managed by a team of specialists. He continues to be in deep coma & on ventilator support: Army Hospital (R&R), Delhi Cantt pic.twitter.com/wRlCCT0s6v
પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જીને ગંભીર હાલતમાં 10 ઓગસ્ટના રોજ દિવસે 12.07 વાગે દિલ્હીના કેંટ સ્થિતિ આર્મી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાં હતા. પૂર્વ રાષ્ટ્રપતિની તબીબોએ તપાસ કરતાં માથામાં લોહીના ગઠ્ઠો જામી ગયો હોવાની સામે આવ્યું હતું.
જેને લઇને ઇમર્જન્સીમાં તેમની સર્જરી કરવામાં આવી હતી. સર્જરી બાદ તેમને વેંટિલેટરના સપોર્ટમાં રાખવામાં આવ્યાં હતા. જો કે મેડિકલ તપાસમાં પૂર્વ રાષ્ટ્રપતિ પ્રણવ મુખર્જી કોરોના પોઝિટિવ હોવાનું પણ સામે આવ્યું હતું.