100 કરોડની વસૂલાત મામલે EDએ અનિલ દેશમુખ સામે કેસ નોંધ્યો છે. તેમના અનેક ઠેકાણાઓ પર ED દરોડા પણ પાડયા છે
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અનિલ દેશમુખનો મનીલોન્ડરિંગ મામલો
NCP નેતા દેશમુખ અને પુત્ર ઋષિકેશ ભૂગર્ભમાં
EDએ 100 કરોડની વસૂલાત મામલે નોંધ્યો છે કેસ
મહારાષ્ટ્રના પૂર્વ ગૃહમંત્રી અને એનસીપી નેતા અનિલ દેશ મુખ પર મનીલોન્ડરિંગ મામલે ગાળિયો કસાયો છે. EDએ 100 કરોડની વસૂલાત મામલે કેસ નોંધી અનિલ દેશમુખ સામે કડક કાર્યવાહી કરતાં, EDના ધરપકડના ડરથી અનિલ દેશમુખ ભૂગર્ભમાં ચાલ્યા ગયા છે.દેશમુખ સાથે પુત્ર ઋષિકેશ પણ અન્ડરગ્રાઉન્ડ છે. ED ઘણા દિવસોથી તેમના લોકેશનની તપાસ કરી રહી છે પણ હજુ સુધી કોઈ ભાળ ન મળતા EDના અધિકારીઓ પણ હેરાન પરેશાન છે. EDએ હવે સમગ્ર મામલે સુપ્રીમ કોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે. જે બાદ અનિલ દેશમુખ પર વધુ સકંજો કસાય તેવી પુરીપૂરી શકયાતાઓ સેવાઇ રહી છે.
સમગ્ર મામલે EDનું શું કહેવું છે?
EDના સૂત્રોનું કહેવું છે કે અનિલ દેશમુખ સાથે તેમનો સંપર્ક થઈ રહ્યો નથી, તેમણે દેશમુખની કોઈ જાણકારી નથી. હાલ સુપ્રીમકોર્ટના આદેશની રાહ જોઈ રહ્યા છે. EDને ઉમ્મીદ છે કે તે બાદ તેઓ તપાસમાં સાથ સહકાર આપશે
જણાવી દઈએ કે અનિલ દેશમુખને ED તરફથી અત્યાર સુધી ચાર સમન્સ જારી કરવામાં આવ્યા છે. એનસીપી નેતા અનિલ દેશમુખ અને તેમના પુત્ર ઋષિકેશ દેશમુખને સોમવારે પણ પૂછપરછ માટે હાજર રહેવા દક્ષિણ મુંબઈમાં તેમની ઓફિસમાં બોલાવવામાં આવ્યા હતા. પરંતુ બંને પિતા અને પુત્ર તેમનું નિવેદન નોંધવા આવ્યા ન હતા.
અનિલ દેશમુખ જેલમાં જવાની તૈયારી કરે: કિરીટ સોમૈયા, નેતા ભાજપ
દેશમુખે તેમના વકીલ ઈન્દ્રપાલ સિંહ દ્વારા ઈડી કાર્યાલયને બે પાનાનો પત્ર મોકલ્યો હતો. ભાજપના નેતા કિરીટ સોમૈયાનું કહેવું છે કે ભૂતપૂર્વ ગૃહમંત્રી દેશમુખ તેમના વકીલો દ્વારા કોઈ ને કોઈ બહાનું બનાવીને ઈડીની તપાસને ટાળવાનો સતત પ્રયાસ કરી રહ્યા છે. પરંતુ તેને જેલમાં જવાની તૈયારી કરી લેવી જોઇએ.
શું છે અનિલ દેશમુખ મનીલોન્ડરિંગ કેસ
દેશમુખને સસપેન્ડ કરવામાં આવેલા પોલીસ અધિકારી સચિન વઝેને બાર માલિકો પાસેથી દર મહિને રૂ. 100 કરોડ ભેગા કરવાનું જણાવ્યાનો આરોપ મુંબઈના ભૂતપૂર્વ પોલીસ કમિશનર પરમવીર સિંહે કર્યો હતો. આ પ્રકરણના કારણે અડચણમાં મૂકાયેલા અનિલ દેશમુખની આર્થિક ગેરવ્યવહાર પ્રકરણની તપાસ ચાલુ છે. ઈડીએ તેમના ઘર પર દરોડો પાડ્યો બાદ અનિલ દેશમુખની મુશ્કેલીઓ વધી ગઈ છે, 100 કરોડની વસૂલાતના કેસમાં ED એ દેશમુખ વિરુદ્ધ કેસ નોંધ્યો હતો અને નાગપુર અને મુંબઈમાં તેમના સ્થળો પર દરોડા પાડ્યા હતા. આ સાથે દેશમુખ પરિવારની 4.2 કરોડની સંપત્તિ પણ જપ્ત કરવામાં આવી છે. ઇડી આ કેસમાં દેશમુખના PS સંજીવ પાલાંદે અને PA કુંદન શિંદેની ધરપકડ કરી ચૂકી છે.
સુપ્રીમ કોર્ટમાં પણ રાહત નહીં
અનિલ દેશમુખની અડચણોમાં હજી વધારો થવાનાની ભીતિ છે. દેશમુખે ઈડી તરફથી ધરપકડ કરવામાં ન આવે એ માટે અગાઉ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી હતી. આ અરજી પર કોર્ટમાં સુનાવણી થઈ હતી. પણ કોર્ટમાં તેમને કોઈ રાહત મળી નહોતી. જે બાદ તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયા છે. ED હાલ દેશમુખની શોધખોળ કરી રહી છે તો બીજી તરફ કાનૂની ગાળિયો પર કસી રહી છે.