વિશ્વમાં ભારતની છબીને લઈને પૂર્વ CM કમલનાથે કહ્યું- ભારત મહાન નહીં, બદનામ છે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રીનું વિવાદિત નિવેદન
કોરોના મહામારીને લઈને આપ્યું આ નિવેદન
ભારત મહાન નહીં, ભારત બદનામ છે
મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી અને કોંગ્રેસના નેતાએ પોતાના એક નિવેદનમાં જણાવ્યું કે, ભારત મહાન નહીં, ભારત બદનામ છે. કોરોના સંક્રમણના મુદ્દે કમલનાથે કેન્દ્ર સરકારની આલોચના કરતા કહ્યું કે, બધા દેશોએ ભારત પર રોક લગાવી છે કે ભારતના લોકો નથી જઈ શકતા.? વિશ્વમાં ભારતની છબીને લઈને પુછવામાં આવેલા એક સવાલના જવાબમાં કમલનાથે આવો જવાબ આપ્યો છે.
મને ન્યુયોર્કથી ફોન કરીને કહ્યું કે...
કમલનાથે કહ્યું કે, "મને કોઈએ ન્યૂયોર્કથી ફોન કરીને કહ્યું કે ભારતના લોકો જે ટેક્સી ચલાવે છે તેમની ટેક્સીમાં કોઈ બેસવા તૈયાર નથી. આવો બદનામ કરવામાં આવ્યો છે આપણાં દેશને. " સાથે જ તેમણે પીએમ મોદી પર નિશાન સાધતા કહ્યું કે, મોદીજી કહે છે કે આપણે કોરોનાની લડાઈ જીતી લીધી છે. આપણે વિશ્વની ફાર્મસી છીએ અને આજે કહે છે કે ગ્લોબલ ટેન્ડર બહાર પાડો.
લોકોમાં ભય ફેલાવવાનો આરોપ
મહત્વનું છે કે હાલમાં જ ભારતીય જનતા પાર્ટીએ કોરોના મહામારીને લઈને કમલનાથ વિરૂદ્ધ લોકોમાં ભય ફેલાવવાના આરોપમાં ફરિયાદ દાખલ કરાવી છે. પોલીસે કમલનાથ વિરૂદ્ધ કલમ 188 અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ 2005ની ધારા 54 હેઠળ પ્રાથમિકતા દાખલ કરાવી છે. FIR દાખલ થયા બાદ કમલનાથે નિવેદન આપ્યું હતું કે, "શિવરાજ સરકાર ઈચ્છે છે કે હું ચુપ રહું, જનતાનો અવાજ ન ઉઠાવું, તેમના હકની લડાઈ ન લડુ, પરંતુ હું ચૂપ નહીં બેશું, કોઈ FIR મને દબાવી નહીં શકે."