જામખંભાળિયાઃ પૂર્વ CM શંકરસિંહ વાઘેલાએ એક મોટો ખુલાસો કર્યો છે. જામખંભાળિયાના એક ગામમાં જાહેર કાર્યક્રમમાં શંકરસિંહે હાજરી આપી હતી. શંકરસિંહ વાઘેલાએ બાળપણમાં દારૂ પીધો હોવાનો સ્વીકાર કર્યો હતો. ધાર્મિક પ્રસંગમાં જાહેર પ્રવચનમાં તેમણે દારૂ પીવા અંગેની વાત કરી હતી.
મહત્વનું છે કે તેમણે પ્રવચન દરમિયાન કહ્યું કે તેમના પિતાએ જ દારૂ પીવડાવ્યો હતો. જો કે તેમણે 1969 બાદ તમામ વસ્તુને તિલાંજલી આપ્યાની વાત કરી હતી. જાહેર જીવનમાં આવ્યા બાદ આવી બદીઓથીથી દુર રહ્યા છે.
દારૂ પીધાનો સ્વીકાર
હું જાહેર જીવનમાં આવ્યો જન્મ પહેલા દરબારના લક્ષણ તો બધામાં હોય છે. તેમા દારૂ પીવું અને ખાવું તે સ્વભાવિક વાત છે. મારા બાપુજી મને પોતે પીવડાવતા હતા. તેમા ખોટુ કહીને કઈ થવાનુ નથી. પરંતુ રાજનીતિમાં પ્રવેશતા પહેલા 1969માં પ્રતિજ્ઞા લીધી હતી. પ્રતિજ્ઞા મુજબ 2 પ્રકારનુ જીવન નહીં જીવવાનું. રાજનીતિમાં અને બહાર જીવનમાં અલગ અલગ જીવન નહીં જીવવાનુ. નહીં પીવાનુ તો પછી નહીં જ પીવાનુ. શંકરસિંહ વાઘેલા પૂર્વ મુખ્યમંત્રી