ગુજરાતમાં તૌકતે વાવાઝોડાના કારણે ભારે નુકસાનની સાથે અમરેલી વિસ્તારમાં 18 સિંહ ગુમ થયા હોવાની વાત પર વન વિભાગે ખુલાસે કર્યો કે, આ માત્ર એક અફવા હતી
અમરેલીમાં વાવાઝોડામાં સિંહો ગુમ થવાની વાત અફવા
દરિયા કિનારે 18 સિંહો ગુમ થયાની વાત અફવા
સિંહો ગુમ થવાની વાત અફવા હોવાનું વનવિભાગનું નિવેદન
તૌકતે વાવાઝોડાના કારણે સૌરાષ્ટ્ર વિસ્તારમાં સિંહો ગુમ થવાની વાત અફવા હોવાનો ખુલાસો થયો છે. દરિયા કિનારે 18 સિંહો ગુમ થયાની વાત અફવા હોવાની વાત ખુદ વનવિભાગે કહી છે. સિંહો ગુમ થવાની વાત અફવા હોવાનું વનવિભાગે નિવેદન આપ્યું હતું. કોઈ સિંહ ગુમ થયા નથી. માત્ર અફવા ફેલાઈ છે. તમામ સિંહો સલામત છે. વન વિભાગે કહ્યું કે, સૌરાષ્ટ્રના માંગરોળથી મહુવા અને તળાજા સુધીના દરિયા કાંઠાના વિસ્તારમાં સિંહોએ પોતાનું રહેઠાણ બનાવેલું છે.
સાથે અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ અને ભાવનગર જિલ્લા સિંહો વસી રહ્યા છે. વાવાઝોડાની માહિતી મળ્યા બાદ વનવિભાગ દ્વારા સાવચેતીના પગલા લેવાયા હતા. અને સતત સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી હતી. ત્યારે રાજુલા વિસ્તારના સિંહો દરિયાથી દૂર સલામત સ્થળે જાતે જ ચાલ્યા ગયા હોવાનું સામે આવ્યું હતું. અને એકપણ સિંહ નજર બહાર ગયા હોય તેવું સામે આવ્યું નથી. મીડિયામાં ફરતી વાતોને વનવિભાગ સમર્થન આપતું નથી.
સૌરાષ્ટ્રના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં રહે છે
સાવજોના સ્થાનની માહિતી આપતા વનવિભાગે જણાવ્યું હતું કે સૌરાષ્ટ્રના 674 સિંહો પૈકી 350 કાંઠાના વિસ્તારમાં અમરેલી અને ભાવનગરમાં રહે છે. બાકીના અભયારણ્ય વિસ્તારમાં છે. દરિયાકાંઠાના સૌરાષ્ટ્રમાં કેટલાક પેચોમાં આશરે 40 સિંહો રહે છે. અને અમે તેમના પર નજર રાખી રહ્યા છીએ. તેમાંથી પહેલાથી જ અમુક સિંહો ઉંચાઈ વાળા સ્થળો પર રહે છે.