કરવા ચોથનાં દિવસે મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે. આવામાં અમુક નિયમોનું પાલન કરવું અત્યંત જરૂરી છે.
13 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે કરવા ચોથનું વ્રત
આ દિવસે નિર્જળ ઉપવાસ કરે છે મહિલાઓ
અમુક નિયમોનું ખાસ રાખવું જોઈએ ધ્યાન
13 ઓક્ટોબરના રોજ રાખવામાં આવશે કરવા ચોથનું વ્રત
કરવા ચોથનું વ્રત આ વર્ષે 13 ઓકટોબર, ગુરુવારના રોજ રાખવામાં આવશે. આ વર્ષે વિવાહિત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે આખો દિવસ નિર્જળ ઉપવાસ કરે છે. મહિલાઓ આ દિવસની તૈયારી ઘણા દિવસો પહેલા જ કરી લે છે. સવારે સાસુ દ્વારા આપવામાં આવેલ સરગી ખાઈને શરૂ કરવામાં આવેલ કરવા ચોથ વ્રત રાત્રે ચંદ્રને અર્ધ્ય આપ્યા બાદ પતિના હાથથી પાણી પીને ખોલવામાં આવે છે. આ વ્રતને ખૂબ જ પવિત્ર અને મહત્વપૂર્ણ માનવામાં આવે છે. એટલા માટે સંપૂર્ણ નિષ્ઠાથી અને નિયમપૂર્વક આ વ્રત રાખવું જોઈએ.
કરવા ચોથના દિવસે પતિ - પત્ની ન કરે આ કામ
કરવા ચોથ વ્રત પતિ - પત્નીના સંબંધને મજબૂત કરનારું પર્વ છે. આ દિવસ માટે ન માત્ર પત્ની પણ પતિ માટે પણ અમુક નિયમો જણાવવામાં આવ્યા છે. આ નિયમોનું પાલન કરવાથી બધી જ ઈચ્છાઓ પૂરી થાય છે, પણ જો નિયમોનું પાલન નથી થતું તો મુશ્કેલીઓનો પણ સામનો કરવો પડે છે.
અમુક નિયમોનું ખાસ રાખવું જોઈએ ધ્યાન
ધર્મ શાસ્ત્ર અનુસાર, પવિત્ર વ્રત - તહેવારોના અવસર પર પતિ-પત્નીએ સંભોગ ન કરવો જોઈએ. આવા વિચારોથી પણ બચવું જોઈએ અને પોતાનું મન ભગવાનના પૂજા - પાઠ, ભક્તિમાં લગાવવું જોઈએ. જો આ નિયમનું પાલન કરવામાં નથી આવતું, તો ન તો નિર્જળ વ્રતનું ફળ મળશે કે ન તો કોઈ ઈચ્છા પૂરી થશે, પણ આમ કરવાથી દાંપત્ય જીવનમાં ઘણા પ્રકારની તકલીફો આવે છે. એટલા માટે કરવા ચોથના દિવસે આ બાબતનું ખાસ ધ્યાન રાખવું જોઈએ. સાથે જ દેવી - દેવતાઓની પૂજા કરીને સફળ અને સુખદ દાંપત્ય જીવનની પ્રાર્થના કરવી જોઈએ.