નાણામંત્રીનું કહેવું છે કે સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી.
નાણામંત્રીએ કહ્યું વ્યાપક સ્તર પર લોકડાઉનનો કોઈ પ્લાન નથી
સીતારમણે વિશ્વ બેંકની પહેલને બિરદાવી છે
નાણા મંત્રાલયે ટ્વીટ પર આપી આ જાણકારી
નાણામંત્રીએ કહ્યું વ્યાપક સ્તર પર લોકડાઉનનો કોઈ પ્લાન નથી
દેશમાં કોરોનાના વધી રહેલા કેસને લઈને ચિંતા વધી છે. તો નાગરિકોમાં ચિંતા વધી છે ત્યારે નાણામંત્રી નિર્મલા સીતારણે લૉકડાઉનને લઈને મહત્વનું નિવેદન આપ્યું છે. નાણામંત્રીનું કહેવું છે કે સરકારનો વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવાનો કોઈ પ્લાન નથી. ગત વર્ષની જેમ આ વર્ષે પણ સમગ્ર દેશમાં લોકડાઉન નથી કરવામાં આવી રહ્યા. પરંતુ મહામારીને રોકવા માટે સ્થાનીય સ્તર પર નિયંત્રણને લઈને ખાસ પગલા ઉઠાવવામાં આવ્યા છે. વિશ્વ બેંક ગ્રુપના અધ્યક્ષ ડેવિડ માલપાસની સાથે ઓનલાઈન બેઠકમાં સીતારમણે ભારતના વિકાસ માટે અને વધારે લોનની સુવિધાની શક્યતા વધારવા માટે વિશ્વ બેંકની પહેલને બિરદાવી છે.
મંત્રાલયે ટ્વીટ પર આપી જાણકારી
નાણા મંત્રાલયે ટ્વીટ કરી લખ્યુ કે નાણામંત્રીએ કોરોના વાયરસની મહામારીને ટકાવવા માટે 5 પોઈન્ટની રણનીતિ ટેસ્ટ, શોધવુ, સારવાર કરવી, રસીકરણ અને કોવિડ 19ને ફેલાતો અટકાવવા માટે ઉપયુક્ત આચરણ સહિત ભારત તરફથી લેવામાં આવેલા પગલાને શેર કર્યા છે.’
વ્યાપક સ્તર પર નહીં લગાવાય લોકડાઉન
તેમણે કહ્યું કે દેશમાં બીજી વાર સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યુ છે તેમ છતાં અમારુ વલણ સ્પષ્ટ છે કે વ્યાપક સ્તર પર લોકડાઉન લગાવવા નથી જઈ રહ્યા. અમે પૂર્ણ રીતે અર્થવ્યવસ્થાને ઠપ નથી કરવા માંગતા. સ્થાનીય સ્તર પર કોરોનાની દર્દી અથવા પરિવારથી અલગ રાખવાના ઉપાયો કરવામાં આવી રહ્યા છે. સ્થાનીક સ્તર પર નિયંત્રણના ઉપાયોના માધ્યમથી સંકટને પહોંચી વળવા લોકડાઉન નથી લગાવવામાં આવી રહ્યુ.
મહારાષ્ટ્રમાં લાગ્ય પ્રતિબંધો
ત્યારે મહારાષ્ટ્ર કોરોનાનું હોટસ્પોર્ટ બન્યુ છે. સોમવારે કેસમાં થોડોક ઘટાડો થયા બાદ મંગળવારે એક દિવસમાં ફરી 60 હજારથી વધારે મામલા સામે આવ્યા છે. રાજ્ય સરકારે આજ રાતથી 15 દિવસના કર્ફ્યૂની જાહેરાત કરી દીધી છે. આ વખતે લોકડાઉન પહેલા કડક નહીં હોય પરંતુ લોકોની અવરજવર પર પ્રતિબંધ લગાવવાનો પ્રયાસ કરી રહ્યા છીએ.
ગત 24 કલાકમાં કોરોના 1લાખ 85 હજાર કેસ આવ્યા
દેશમાં કોરોનાના દર્દીઓ અને મોતના આંકમાં સતત વધારો થઈ રહ્યો છે. પહેલી વાર દેશમાં રેકોર્ડ 1 લાખ 85 હજારથી વધારે કેસ આવ્યા છે. ભારતમાં કોરોનાના એક્ટિવ મામલા હવે 13 લાખને પાર થઈ ગયા છે. ઉલ્લેખનીય છે કે કેટલાક દિવસોમાં દેશમાં સતત દોઢ લાખથી વધારે કોરોનાના પોઝિટિવ કેસ આવ્યા છે.