દેશભરમાં કોરોના વાયરસના કેસમાં વધારો થઇ રહ્યો છે. આજે દેશભરનો આંકડો 900ની નજીક પહોંચી ચૂક્યો છે. જ્યારે આ મહામારીથી અત્યાર સુધીમાં દેશમાં 19 લોકોના મોત થઇ ચૂક્યા છે. ત્યારે કેરળમાં કોરોના વાયરસનો પહેલો કેસ સામે આવ્યો છે જ્યાં કોચ્ચી મેડિકલ કોલેજમાં કોરોના વાયરસથી પોઝિટિવ એક વ્યક્તિનું મોત થયું છે.
રાજ્યમાં કુલ 616 લોકો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે
કેરળમાં 11 લોકો ઠીક થઇને ડિસ્ચાર્જ થઇ ચૂક્યા છે
1 લાખથી વધારે લોકોને હોમ ક્વારન્ટાઇન કરાયા
કેરળમાં 69 વર્ષના એક વૃદ્ધનું કોચ્ચિની મેડિકલ કોલેજમાં કોરોના વાયરસને કારણે મોત થયું છે. હાલમાં જ દુબઇથી આ વ્યક્તિ 16 માર્ચે કેરળ પરત ફર્યો હતો જે બાદ 23 માર્ચે હોસ્પિટલમાં ભરતી થયો હતો.
વ્યક્તિને જ્યારે સંક્રમણના લક્ષણો જોવા મળ્યા તો તેઓને પહેલા ક્વારન્ટાઇન કરવામાં આવ્યા અને બાદમાં કોચ્ચી સરકારી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. આ વ્યક્તિના પત્ની અને ડ્રાઇવર પણ કોરોના વાયરસથી પોઝિટિવ જોવા મળ્યા છે. જેમની હાલ સારવાર ચાલી રહી છે. મૃતક વ્યક્તિ કોચ્ચીના ચુલ્લીકલનો રહેવાસી છે.
કેરળમાં કોરોના વાયરસના પોઝિટિવ કેસનો આંકડો 176 થઇ ચૂક્યો છે. જેમાંથી 11 લોકો ઠીક થઇને ડિસ્ચાર્જ પણ થઇ ચૂક્યા છે. આખા રાજ્યમાં કુલ 616 લોકો હોસ્પિટલમાં ઓબ્ઝર્વેશન હેઠળ છે, જ્યારે 1 લાખથી વધારે લોકો હોમ ક્વારન્ટાઇન દ્વારા ઓબ્ઝર્વેશન હેઠળ રાખવામાં આવ્યા છે.